Site icon News Continuous Bureau | Mumbai

રોગ અનુસાર ગાયના ઘીના ઉપયોગ અહીં વાંચો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

આપણી ભારતીય સંસ્કૃતિ ગાયને માતા માનીને પૂજન કરે છે. શું તમે જાણો છો કે ગાયના ઘીનો ઉપયોગ કરી ઘણા રોગનો ઉપચાર આપણે ઘેરબેઠાં જ કરી શકીએ છીએ.

તો ચાલો જાણીએ ઘીના ઉપયોગ :

1. ગાયના ઘીને નાકમાં નાખવાથી નીચે મુજબની તકલીફોથી પળભરમાં રાહત મળે છે.

A. પાગલપણું દૂર થાય છે.

B. કોઈ પણ જાતની એલર્જી દૂર થાય છે.

C. લકવાના રોગનો પણ ઈલાજ થાય છે.

D.  કાનના પડદા ઑપરેશન વગર જ સાજા થઈ જાય છે.

E. નાકમાંથી થતો રક્તસ્રાવ દૂર થાય છે અને મગજ તરોતાજા થઈ જાય છે.

F. વ્યક્તિ કોમામાંથી બહાર આવતાં જ ચેતના પાછી આવે છે.

G.  વાળ ખરતા બંધ થાય છે અને નવા વાળ પણ આવવા લાગે છે.

H.  માનસિક શાંતિ મળે છે અને યાદશક્તિમાં વધારો થાય છે.

I. સવારે અને સાંજે નાકમાં દેશી ગાયના ઘીનાં બે ટીપાં નાખવાથી માઇગ્રેનનો દુખાવો મટે છે.

ગણેશવિસર્જન સાથે કોરોનાના નિયમોનું પણ વિસર્જન થયું, આવા હાલ થયા વિસર્જનસ્થળ પર; જાણો વિગત

2. 20-25 ગ્રામ ગાયના ઘી સાથે મિસરી ખવડાવાથી દારૂ, ભાંગ અને ગાંજાનો નશો ઓછો થાય છે.

3. હાથ-પગમાં બળતરા થાય ત્યારે ગાયના ઘીથી હથેળી અને તળિયામાં માલિશ કરવાથી બળતરામાં રાહત મળે છે.

4. હેડકી આવતી બંધ ન થાય તો ગાયના ઘીની અડધી ચમચી ખાવાથી જાતે જ હેડકી બંધ થઈ જશે.

5. ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી ઍસિડિટી અને કબજિયાતની ફરિયાદો ઓછી થાય છે.

6. ગાયનું ઘી શક્તિ અને વીર્ય વધારે છે અને શારીરિક અને માનસિક શક્તિ પણ વધારે છે.

7. બાળકોને છાતી અને પીઠ પર ગાયના જૂના ઘીથી માલિશ કરવાથી કફની ફરિયાદ સમાપ્ત થાય છે અને જો વધારે નબળાઈ હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને મિસરી નાખીને પીવો.

8. ગાયનું ઘી કૅન્સર થતું અટકવવાની સાથે  આ રોગને આશ્ચર્યજનક રીતે ફેલાતાં પણ અટકાવે છે.

 9. જે વ્યક્તિ હાર્ટ ઍટેકથી પીડિત છે અને તેને ચીકણું ખાવાની મનાઈ છે, તો ગાયનું ઘી ખાવું જોઈએ, તે હૃદયને મજબૂત બનાવે છે.

10. દેશી ગાયના ઘીમાં કૅન્સર સામે લડવાની ક્ષમતા છે. તેના સેવનથી સ્તન અને આંતરડાંના ખતરનાક કૅન્સરથી બચી શકાય છે.

11. ગાયનું ઘી,છાલ સહિત કાળા ચણાને  અને પીસેલી ખાંડ અથવા બૂરું અથવા દેશી ખડી સાકર સાથે સમાન માત્રામાં મિશ્ર કરીને લાડુ બનાવવો. તે દરરોજ સવારે ખાલી પેટ ઘણા લાડુ ચાવ્યા પછી એક ગ્લાસ મીઠું હૂંફાળું દૂધને પીવાથી સ્ત્રીઓને  લ્યુકોરોહિયામાં રાહત મળે છે, પુરુષોનું શરીર ચરબીયુક્ત, તાજું એટલે કે સુડોળ અને મજબૂત બને છે.

વિરાટ કોહલી આપશે કેપ્ટનશીપમાંથી રાજીનામુ? T20 વર્લ્ડ કપ બાદ આ ધૂરંધર ખેલાડી બની શકે છે ભારતનો કેપ્ટન; જાણો વિગતે

12. ફોલ્લા પર ગાયનું દેશી ઘી લગાવવાથી રાહત મળે છે.

13. છાતી પર ગાયના ઘીની માલિશ કરવાથી બાળકોમાંથી લાળ બહાર કાઢવામાં મદદ મળે છે.

14. સાપ કરડવાની ઘટનામાં 100-150 ગ્રામ ગાયનું ઘી પીવડાવો, ઉપરથી જેટલું હૂંફાળું પાણી પીવડાવી શકો એટલું પીવડાવી, તેનાથી ઊલટી અને ઝાડા તો થશે જ, સાથે સાપનું ઝેર પણ ઓછું થશે. 

15. માથાના દુખાવાને કારણે શરીરમાં ગરમી હોય તો પગના તળિયા પર ગાયના ઘીની માલિશ કરવાથી માથાનો દુખાવો મટે છે.

16. યાદ રાખો કે ગાયના ઘીના સેવનથી કોલેસ્ટ્રોલ વધતું નથી. વજન પણ વધતું નથી, ઊલટાનું તે વજનને સંતુલિત કરે છે. એટલે કે નબળી વ્યક્તિનું વજન વધે છે અને મેદસ્વી વ્યક્તિનું વજન ઘટે છે.

 17. એક ચમચી ગાયનું શુદ્ધ ઘી, એક ચમચી બૂરું અને 1/4 ચમચી કાળા મરીનું મિશ્રણ કરી, સવારે અને રાત્રે સૂતી વખતે આ ત્રણને ચાટ્યા બાદ ઉપરથી ગરમ મીઠું દૂધ પીવાથી આંખોની રોશની વધે છે.

18. ગાયના ઘીને ઠંડા પાણીમાં ભેળવો અને પછી ઘીને પાણીથી અલગ કરો, લગભગ સો વખત આ પ્રક્રિયા કરો અને તેમાં થોડું કપૂર મિક્સ કરો. આ પદ્ધતિ દ્વારા મેળવેલા ઘીને અસરકારક દવામાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ ચામડીના તમામ રોગોમાં ચમત્કારિક રીતે થઈ શકે છે. તે સોરાયસીસ માટે પણ અસરકારક છે.

19. ગાયનું ઘી સારું (LDL) કોલેસ્ટ્રોલ છે. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ગાયનું ઘી જ ખાવું જોઈએ. તે ખૂબ જ સારો ઉપચાર પણ છે.

20. જો તમે ગાયના ઘીનાં થોડાં ટીપાં દિવસમાં ત્રણ વખત નાકમાં નાખો, તો તે ત્રિદોષ (ગૅસ, પિત્ત અને કફ)ને સંતુલિત કરે છે.

પરિણીત હોવા છતાં, તે તેના પુત્ર સાથે રહે છે બૉબી દેઓલના ઘરમાં; જાણો તે સુંદર અભિનેત્રી કોણ છે?  

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version