Site icon

સ્વાસ્થ્ય જાણકારી- બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં રામબાણ થી ઓછું નથી આ ઉનાળુ ફળ-બીજી બીમારીઓ પણ રહેશે દૂર

News Continuous Bureau | Mumbai 

ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારનું સેવન ખૂબ જ કાળજીપૂર્વક કરે છે. આહારમાં એવા ખોરાકનું સેવન કરવામાં આવે છે જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય અને જેનું સેવન કરવાથી શુગર કંટ્રોલમાં(sugar control) રહે છે. ડાયાબિટીસના દર્દીઓ (diabetes patient)માટે ફળનું સેવન ખૂબ જ ઉપયોગી છે, પરંતુ તેનો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ડાયાબિટીસના દર્દીઓ સુગરને કંટ્રોલ કરવા માટે અમુક ફળોનું સેવન કરી શકે છે.ઉનાળામાં સુગરને કંટ્રોલ કરવા માટે ચેરીનું સેવન (cherry)ખૂબ જ ફાયદાકારક છે. લાલ ચેરી જેટલી સુંદર દેખાય છે, ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ હોય છે. ચેરી પોષક તત્વોથી ભરપૂર એવું એક ફળ છે જેની ગણતરી રોમેન્ટિક ફળોમાં(romantic fruit) થાય છે. તેમાં થાઇમીન, રિબોફ્લેવિન, વિટામિન બી, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઇ, વિટામિન બી6, પેન્ટોથેનિક એસિડ, નિયાસિન, ફોલેટ, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી છે. બળતરા વિરોધી ગુણોથી ભરપૂર ચેરી બ્લડ સુગરને નિયંત્રિત (blood sugar)કરવામાં ખૂબ મદદરૂપ છે. ઉનાળામાં ચેરીનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ચાલો જાણીએ કે ચેરી કેવી રીતે શુગરને કંટ્રોલ કરે છે અને શરીર માટે શું ફાયદા છે.

Join Our WhatsApp Community

1. ચેરી કેવી રીતે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે: ચેરી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ચેરીનું સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના (diabetes)દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ(immunity) નબળી હોય છે, જો તેઓ ચેરીનું સેવન કરે છે, તો તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચેરીનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં ચેરી અવશ્ય ખાવી જોઈએ.

2. રોગપ્રતિકારક શક્તિ વધે છે: ચેરી ખાવાથી રોગપ્રતિકારક(immunity) શક્તિ વધે છે. વિટામિન સીથી ભરપૂર ચેરીનું સેવન કરવાથી રોગોથી બચી શકાય છે.

3. કબજિયાતની સારવાર કરે છે: જે લોકોને કબજિયાતની ફરિયાદ હોય તેઓએ ચેરીનું સેવન કરવું જોઈએ. ચેરીના સેવનથી કબજિયાતમાં(constipation) રાહત મળે છે. ફાઈબરથી(fiber) ભરપૂર ચેરી પચવામાં સરળ હોય છે. તેના સેવનથી પાચનક્રિયા બરાબર રહે છે.

4. જો તમને રાત્રે ઉંઘ ન આવતી હોય તો ચેરી ખાઓઃ જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી તે લોકોએ રાત્રે સૂતા પહેલા ચેરીનું (cherry)સેવન કરવું જોઈએ. ચેરીમાં મેલાટોનિનનું પ્રમાણ વધુ હોય છે જે અનિદ્રા અને ઊંઘની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન- શું તમે જાણો છો- શાકાહારી – માંસાહારી ખાદ્યપદાર્થના સિમ્બોલ બદલાઈ ગયા છે

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version