Site icon News Continuous Bureau | Mumbai

હવે કિસાન ક્રેડિટ કાર્ડ લેવું સરળ બન્યું .. ‘PM કિસાન સન્માન નિધિ’ યોજનામાં આવ્યા છે આટલાં મોટા ફેરફાર.. જાણો વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ઓક્ટોબર 2020 

વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના શરૂ થયાને 22 મહિના પૂરા થયા છે. દરેક ખેડૂતને દર વર્ષે 6000 રૂપિયાની રોકડ સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં આ સમયગાળા દરમિયાન ઘણા મોટા ફેરફારો થયા છે, જે કારણે ખેડુતોને 6000 રૂપિયાની સહાયથી વધુ ફાયદો થવાનો છે. મોદી સરકારે આ યોજનાની ઔપચારિક શરૂઆત 24 ફેબ્રુઆરી 2019 ના રોજ ગોરખપુરથી કરી હતી. હવે આ દ્વારા, તમે પહેલા કરતા વધુ સરળતાથી કેસીસી ક્રેડિટ કાર્ડ લઈ શકો છો.

આત્મનિર્ભર ભારત હેઠળ 1.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમના ખર્ચની મર્યાદા 1.35 લાખ કરોડ રૂપિયા છે. આ દ્વારા ખેતી માટે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ લોન 4 ટકાના દરે ઉપલબ્ધ છે. નીચે મુજબ છે મહત્વના ફેરફારો… 

જાતે જ ચેક કરો સ્ટેટસ

>> જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે અને હજી સુધી બેંક ખાતામાં પૈસા આવ્યા નથી, તો તેનુ સ્ટેટસ  જાણવુ ખૂબ જ સરળ થઈ ગયુ છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈપણ ખેડૂત ભાઈ પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને તેમના આધાર, મોબાઇલ અને બેંક ખાતા નંબર દાખલ કરીને તેમનુ સ્ટેટસ ચેક કરી શકે છે.

લાભ મેળવવા માટે કરાવો રજીસ્ટ્રેશન–

હવે કોઈ ખેડૂતને આ યોજના હેઠળ નોંધણી કરાવા માટે અધિકારીઓ પાસે જવું પડશે નહીં. કોઈપણ ‘કિસાન પોર્ટલ’ પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે. તેનો હેતુ તમામ ખેડૂતોને યોજના સાથે જોડવાનો છે અને નોંધાયેલા લોકોને સમયસર લાભ પહોંચાડવાનો છે. 

કેસીસી લેવાનું બન્યું સરળ–

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી રહેલા તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) આપવાનું પણ નક્કી કર્યું છે. આ સાથે 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4 ટકાના દરે મળશે. બેંકોને પહેલેથી જ પીએમ-કિસાન લાભાર્થીઓ વિશેની મોટાભાગની માહિતી હોવાથી, બેંકોને ખેડૂતોને કેસીસી જારી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

કેસીસી માટે પાક વીમો કરાવવામાંથી છૂટ–

અગાઉ ખેડૂત ન ઇચ્છે તો પણ કિસાન ક્રેડિટ કાર્ડ લીધેલા ખેડુતોએ પાક વીમા યોજનામાં જોડાવું પડ્યું હતું. તેને પીએમ કિસાન યોજના સાથે જોડ્યા પછી પાક વીમો હવે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે. 

નાના મોટા ખેડુતો લાભ લઈ શકશે–

જ્યારે ડિસેમ્બર 2018 માં આ યોજના હેઠળ પૈસા આપવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે હતી. ત્યાર બાદ બધા ખેડૂતો માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી. ઘણી રાજ્ય સરકારો હવે પીએમ કિસાન યોજનામાં પોતે પણ મદદ કરવા વિચારણા કરી રહી છે. મધ્ય પ્રદેશ સરકારે ખેડૂત દીઠ 4-4 હજાર રૂપિયા આપીને આ પગલું લીધુ છે.

માનધન યોજનાનો લાભ મેળવી શકે છે ખેડૂતો–

જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેણે પીએમ કિસાન સમ્માન યોજનામાં જોડાવા માટે કોઈ દસ્તાવેજો આપવાની રહેશે નહીં. દર મહિને 3000 રૂપિયા પેન્શન સાથેની આ યોજનાનું યોગદાન સીધા પીએમ કિસાન યોજનામાંથી કાપવામાં આવશે. ખેડૂતને તેના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા નહીં પડે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version