Site icon News Continuous Bureau | Mumbai

સીબીઆઈના રડાર પર સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા 5 ડોકટરો અને બે આઈપીએસ અધિકારીઓ….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓગસ્ટ 2020 

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 60 દિવસથી વધુ સમય વિતી ગયો છે, પરંતુ મુંબઈ પોલીસે હજી સુધી એફઆઈઆર સુધ્ધાં નોંધી નથી કે તપાસ યોગ્ય રીતે હાથ ધરી. મુંબઈ પોલીસની કામ કરવાની પદ્ધતિ ઉપર રાષ્ટ્રીય મીડિયામાં પણ વારંવાર પ્રશ્નો ઉભા થયા હતાં.

હવે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, સુશાંત કેસની સંપૂર્ણ તપાસ સીબીઆઈ કરશે અને મુંબઈ પોલીસને તમામ દસ્તાવેજો સીબીઆઈ ને પૂરા પાડવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણયથી સુશાંત સિંહ ના અપરાધિઓમાં ફફડાટ ફેલાયો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના બે આઈપીએસ પર તવાઈ આવી છે. જો દોષી સાબિત થાય તો, આ બંને આઇપીએસ ફરજિયાત નિવૃત્ત થઈ શકે છે અને તે જ સમયે જેલ પણ થઈ શકે છે.. આ સાથે જ સુશાંતસિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરનાર કૂપર હોસ્પિટલના ડોકટરોની રિપોર્ટમાં પણ ઘણી ભૂલો જોવા મળી છે અને રિપોર્ટમાં મૃત્યુના સમયનો કોઈ ઉલ્લેખ નથી કરાયો. સૂત્રો કહી રહ્યા છે કે ડોકટરોની આ બેદરકારી તેમને ભરી પડી શકે છે..

સૂત્રો એવું પણ સુચન કરી રહ્યા છે કે સીબીઆઈ દિશા સાલિયાનની ફાઇલ પણ ચકાશી રહી છે અને સુશાંત ના મોત સાથે કોઈ લેવાદેવા છે કે નહીં એ પણ તપાસી રહ્યાં છે. હવે સીબીઆઈ દફનાવી દેવામાં આવેલા રહસ્યો બહાર કાઢશે અને સુશાંત આત્મહત્યા અથવા હત્યાના રહસ્યને હલ કરશે. સ્પષ્ટ છે કે આ તપાસમાં ઘણા લોકો સીબીઆઈની ધરપકડમાં આવશે અને ગુનેગારો જેલની હવા ખાશે…

Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
Exit mobile version