Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! ભાજપના આ નેતાએ પોલીસ વિરુદ્ધ જ પોલીસમાં નોંધાવી ફરિયાદ. એટલું જ નહીં પણ પોલીસને 24 કલાકમાં માફી માગવા પણ કહ્યું; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પોલીસ  વિરોધમાં મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પણ પોલીસને 24 કલાકમાં તેમની માફી માગવી જોઈએ એવી અજીબોગરીબ માગણી પણ તેમણે કરી છે.

કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના કૌભાંડના પુરાવા એકત્ર કરવા કોલ્હાપુર જવા માગતા હતા. તે અગાઉ પોલીસે તેમને મુલુંડના ઘરમાં જ નજરકેદ કરી દીધા હોવાનો તેમણે દાવો કર્યો હતો. કોલ્હાપુરમાં તેમના પ્રવેશ પર કલેકટરે પ્રતિબંધ મૂકી દીધો હતો. તેથી કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા માટે ટ્રેન પકડવા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ગુંડાગીરી કરીને તેમને રોકી દેવામાં આવ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. તેથી આ પ્રકરણમાં  તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણમાં તેમની માફી માગવી એવી માગણી પણ સોમૈયાએ કરી છે.

6 મહિનામાં, 6 રાજ્યોના મુખ્ય મંત્રીઓ બદલાયા, રાજનીતિમાં આવ્યો નવો વળાંક; જાણો વિગત

આ પૂરા પ્રકરણ બાદ હવે કિરીટ સોમૈયાએ 28 સપ્ટેમ્બરના તેઓ કોલ્હાપુર જશે  એવી જાહેરાત કરી છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version