Site icon

આ બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના વાયરસનું ચેપ લાગવાનું જોખમ ઓછું છે.. જાણો તમને ચેપ લાગવાની સંભાવના કેટલી છે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓક્ટોબર 2020

બ્લડ ગ્રુપ, કોરોના વાયરસ ચેપમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. ચોક્કસ બ્લડ ગ્રુપવાળા લોકો પર ચેપની ખૂબ જ ઓછી અસર જોવા મળી છે. કોરોના પર રોજ નવું સંશોધન થઈ રહ્યું છે. તે દરમ્યાન આવા તારણો બહાર આવી રહ્યા છે, જે સારવાર કરતાં તબીબો માટે જાણવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તાજેતરના સંશોધન મુજબ, ઓ બ્લડ ગ્રુપવાળા માણસોમાં કોરોના વાયરસના ચેપનું જોખમ ઓછું રહે છે. આથી ગંભીર પરિણામોની સંભાવના ઓછી થાય છે. જ્યારે અન્ય રક્ત જૂથો ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં આવે છે.

આ અભ્યાસ માટે સંશોધનકારોએ 4.73 લાખથી વધુ લોકો પર કોરોના વાયરસની તપાસ કરી હતી. આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોરોના ચેપગ્રસ્ત લોકોમાં, ઓ-પોઝિટિવ દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે. જ્યારે ચેપગ્રસ્તોમાં એ, બી અને એબી વાળા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. સંશોધનકારોના જણાવ્યા અનુસાર જો એ અને એબી બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી અસરગ્રસ્ત હોય તો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

પ્રતિષ્ઠિત જર્નલ બ્લડ એડવાન્સિસમાં પ્રકાશિત એક સંશોધનએ દાવો કર્યો છે કે ઓ બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી ખૂબ ઓછા સંવેદનશીલ હોય છે. આ સિવાય કેટલાક વૈજ્ઞાનિકો પણ દાવો કરે છે કે જુદા જુદા દેશોની કુદરતી સ્થિતિ પણ આ માટે જવાબદાર છે

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version