Site icon

બિહારના બક્સરમાં ગંગા કિનારે મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
કોરોનાના બેકાબૂ થતા સંક્રમણ બિહારના બક્સરમાંથી એક હેરાનકરનાર કિસ્સો સામે આવ્યો છે. સોમવારે અહીંના ચરિત્રવન સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જગ્યા વધી ન હતી. તેથી મૃતદેહને ગંગા નદીમાં વહાવવામાં આવ્યા હતા. હવે સંખ્યાબંધ મૃતદેહ કિનારા પર જ સડી રહ્યાં છે. છેલ્લાં એકથી દોઢ મહિનામાં મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો હતો. મૃત્ય પામનાર બધા જ વ્યક્તિઓ તાવ અને ખાસીથી પીડાય રહ્યા હતા.
ચરિત્રવન અને ચૌસા સ્મશાન ઘાટ પર દિવસ-રાત અગ્નિસંસ્કાર થઈ રહ્યાં છે અને કાબ્રસ્થાનોમાં પણ ભીડ વધી છે. પહેલાં ચૌસા સ્મશાન ઘાટ પર રોજ બેથી પાંચ અગ્નિસંસ્કાર થતા હતા, તે આંકડો હવે ૪૦થી ૫૦નો થઈ ગયો છે. આ આંકડો ૯૦ સુધી પહોચ્યો છે. રવિવારે બક્સરમાં ૭૬ મૃતદેહ સરકારી આંકડાઓમાં નોંધાયા હતા, પરંતુ ૧૦૦થી વધુ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ચૌસામાં પણ ૧૬ મૃતદેહને નદીમાં પધરાવવામાં આવ્યા હતા.

મીરા-ભાઈંદરમાં ડેપ્યુટી મેયરે કોરોનાના દર્દીઓની સહાય માટે આપ્યા ૩૦ લાખ રૂપિયા; જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે ચૌસા સીઓ નવલકાંતે જણાવ્યું કે તેમણે એસડીઓના આદેશ પર રવિવારે સ્મશાનની મુલાકત લીધી હતી. રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં મુશ્કેલી ન થાય તે માટે જનરેટર અને  લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગંદકીને સાફ કરવા માટે બે લોકોને રાખવામાં આવ્યા છે. ઉપરાંત બે ચોકીદાર અને એક સલાહકારની પણ નીમવામાં આવ્યા છે. તે અગ્નિસંસ્કાર કરનારની વિગતો પણ નોંધી રહ્યાં છે.

Join Our WhatsApp Community
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version