ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
એનએસઈના ભૂતપૂર્વ CEO અને MD ચિત્રા રામકૃષ્ણાએ રિલાયન્સ બીપી મોબિલિટીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના યોગી બાબા કૌભાંડમાં આકરા આદેશના 8 દિવસ બાદ રાજીનામું આવ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જ હિસ્સો ગણાતા રિલાયન્સ બીપી મોબિલિટીના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સપ્ટેમ્બર,2020માં તેમની નિયુક્ત કરવામાં આવી હતી.
કો-લોકેશન કેસ અંગે શરૂ કરાયેલી તપાસને પગલે તેમણે અન્ય તમામ આઠ બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું.
