Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી: માટલા નું કે પછી ફ્રિજ નું કયું પાણી છે તમારા સ્વાસ્થ્ય માટે સારું, જાણો અહીં

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ઋતુમાં(summer season) ઠંડુ પાણી ઘણી રાહત આપે છે. આપણામાંથી ઘણાને ફ્રીજનું (fridge water) ઠંડુ પાણી પીવાની આદત હશે અને આપણામાંથી ઘણાને માટલા(Pot water) નું પાણી પીવાની આદત હશે. આવી સ્થિતિમાં, અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે ફ્રિજ નું પાણી પીવું વધુ સારું કે પછી માટલા નું પાણી પીવું વધુ સારું છે. જવાબ છે માટલા નું પાણી. આ એટલા માટે છે કારણ કે માટલા નું પાણી પીવાના ઘણા સ્વાસ્થ્ય લાભો (health benefits) છે. માટલા નું પાણી  આલ્કલાઇન પીએચ અને એસિડિટીને નિયંત્રિત કરે છે અને મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને માટલા નું પાણી પીવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે માટલા નું પાણી કે  રેફ્રિજરેટરનું પાણી બે માંથી કયું સ્વાસ્થ્ય માટે સારું છે.

Join Our WhatsApp Channel

1. મેટાબોલિઝમ (metabolizam)વધારે છે: જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં રાખેલ પાણી પીએ છીએ ત્યારે તેમાં બિસ્ફેનોલ A અથવા BPA જેવા ઝેરી રસાયણો હોય છે, જે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જયારે કે, માટલા નું પાણી (pot water) પીવાથી, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સંતુલિત રહે છે અને તમારા શરીરનું ચયાપચય પણ સારું રહે છે.

2. આલ્કલાઇન પ્રકૃતિ: માનવ શરીર પ્રકૃતિમાં એસિડિક છે, જ્યારે જમીન આલ્કલાઇન (alkaline) છે. આલ્કલાઇન પોટ પાણી (pot water) આપણા શરીરની એસિડિક પ્રકૃતિ સાથે પ્રતિક્રિયા આપે છે અને યોગ્ય pH સંતુલન બનાવવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે માટલા નું પાણી પીવાથી એસિડિટી અને પેટની સમસ્યાઓ દૂર રહે છે.

3. સન સ્ટ્રોકથી બચાવે છે: સનસ્ટ્રોક એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે જેનો ઘણા લોકો ઉનાળામાં સામનો કરે છે. માટીના વાસણમાં રાખવામાં આવેલા પાણીમાં મિનરલ્સ (minerals) હોય છે. આ શરીરમાં ગ્લુકોઝનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે અને તમારા શરીરને ઠંડકની અસર પણ પ્રદાન કરે છે.

4. ગળા માટે સારુંઃ ફ્રિજનું પાણી ખૂબ ઠંડું હોય છે જ્યારે બહાર રાખવામાં આવેલું પાણી ખૂબ ગરમ હોય છે. પરંતુ માટલા (pot water) માં રાખેલ પાણી ન તો બહુ ઠંડું હોય છે કે ન તો બહુ ગરમ. આવી સ્થિતિમાં આ પાણી ગળા માટે ઘણું સારું છે. શરદી અને ઉધરસથી પીડિત લોકો પણ સરળતાથી તેનું સેવન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: કબજિયાત થી લઇ ને વજન ઘટાડવા સુધી ઈસબગોલ ની ભૂકી ખાવાના છે ઘણા ફાયદા; જાણો તેને કેટલી માત્રામાં ખાવું જોઈએ

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version