Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન.. જો શિયાળાની શરદી અને ખાંસી વધી જાય તો ચેતો.. કોરોનાની તપાસ કરાવો.. જાણો અહીં શું કહે છે ડોક્ટર..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

05 નવેમ્બર 2020 

કોરોના ગયો નથી, કોરોના સંપૂર્ણ રીતે મટ્યો નથી કે હજી કોઈ દવા પણ શોધાય નથી, પરંતુ કોરોના સુષુપ્ત થયો છે. ગમે ત્યારે ઉથલો મારી શકે છે. નવેમ્બર માસની શરૂઆત સાથે જ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલે તાવ, શરદી અને ઉધરસ થવા સ્વાભાવિક છે. પરંતુ અત્યારનો માહોલ જોતાં આ સામાન્ય લક્ષણો ના કરી શકાય.. જો 3 દિવસથી વધુ દિવસો તાવ શરદી ખાંસીના લક્ષણો જણાય તો કોરોના પણ હોય શકે છે.. આથી તરત જ ડૉક્ટર નો સંપર્ક સાધવો ખૂબ જ જરૂરી છે. 

બેવડી ઋતુના કારણે લોકોને શરદી-ખાંસી અને ભારે અવાજ થઈ જવાની સમસ્યા સતાવી રહી છે. આવામાં જે લોકો આ તકલીફને સામાન્ય માનતા હોય તેમના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. એમ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ એ જણાવ્યું છે. આવામાં જે લોકો એવું માનતા હોય કે તેમને માત્ર શરદી-ખાંસી છે અને બિન્દાસ તેઓ બહાર ફરે અને બીજાના સંપર્કમાં આવે ત્યારે વાયરસ વધારે ફેલાવાની સંભાવના રહે છે.

નિષ્ણાત ડૉક્ટર ના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિને શરદી-ખાંસી વધી જાય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં કે પછી રસ્તા પર તૈયાર કરવામાં આવેલા કિઓસ્કમાં જઈને એન્ટિજન ટેસ્ટ કરાવી લેવી હિતાવહ છે. આમ થવાથી કોરોના એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકાય છે અને પરિવારની પણ સલામતી જળવાઈ રહે છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતુ રોકવા માટે મનપા મિઠાઇ-ફરસાણનાં વેપારી, કપડા-હોઝિયરી અને વાસણનાં વિક્રેતા તેમજ સોના-ચાંદીનાં વેપારીઓનાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી રહી છે. કારણકે ખાસ આવા સ્થળોએ ભીડ વધુ થતું હોય છે જેને કારણે કોરોનાનો ચેપ વધુ ફેલાવાની શક્યતા રહેલી છે..

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version