Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી- અનિદ્રાથી છુટકારો મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો આ ખાસ ચા-મગજ રહેશે શાંત

News Continuous Bureau | Mumbai

સ્ટ્રેસ અને મોડી રાત સુધી ચાલતા મોબાઈલ, ડેસ્કટોપ કે લેપટોપ પર કામ કરવાથી રાતોની ઊંઘ અદૃશ્ય થઈ જાય છે. આ સિવાય કેફીનયુક્ત વસ્તુઓનું સેવન જેમ કે સૂવાના સમય પહેલા ચા અને કોફી પીવી, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન પણ ઊંઘમાં (sleep)ખલેલ પહોંચાડે છે. આ માટે રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓનું સેવન ન કરો. તણાવથી પણ દૂર રહો. તણાવ એ માનસિક વિકાર છે. આનાથી માત્ર રાતની ઊંઘ જતી નથી, પરંતુ હાઈ બ્લડ પ્રેશરની (blood pressure)સમસ્યા પણ થાય છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જો તમને પણ અનિદ્રાની સમસ્યા છે તો દરરોજ રાત્રે સૂતા પહેલા કેમોમાઈલ ચા (chamomile tea)પીવો. ડૉક્ટરો રાત્રે ચા ન પીવાની સલાહ આપે છે. જો કે, તમે કેમોમાઇલ ચાનું સેવન કરી શકો છો. આ ચાનું સેવન કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. સાથે જ કેમોમાઈલ ટીના નિયમિત સેવનથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. આવો, તેના વિશે બધું જાણીએ-

Join Our WhatsApp Channel

કેમોમાઈલ( chamomile tea)નો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. તે એક છોડ છે. તેના ફૂલનો ઉપયોગ ચાના પાંદડા તૈયાર કરવા માટે થાય છે. આ પાનમાંથી ચા બનાવવામાં આવે છે. આ સિવાય કેમોમાઈલના તાજા ફૂલોમાંથી પણ ચા(tea) બનાવવામાં આવે છે. તેમાં ડાયાબિટીક વિરોધી ગુણો છે. એપીજેનિન પણ તેમાં જોવા મળે છે. તેનાથી મગજને આરામ મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એપિજેનિન મનને શાંત રાખે છે. કેમોમાઈલ ચામાં કેફીન જોવા મળતું નથી. આ માટે ડૉક્ટરો ડાયાબિટીસ (diabetes)અને અનિદ્રાના દર્દીઓને કેમોમાઈલ ટી પીવાની સલાહ પણ આપે છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, સૂવાના સમય પહેલા માત્ર 45 મિનિટ પહેલા કેમોમાઈલ ટી (chamomile tea)પીવો. તે પછી સૂઈ જાઓ. એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૂતી વખતે મોબાઈલનો(mobile) ઉપયોગ બિલકુલ ન કરો. જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે. દરરોજ કેમોમાઈલ ચાનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.

આ સમાચાર પણ વાંચો: સ્વાસ્થ્ય જાણકારી- એલચીની ચા જ નહીં એલચીનું પાણી પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક- જાણો તેને પીવાના લાભ વિશે

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

 

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version