Site icon

સરકારી કર્મચારીને ધમકાવનારા ભાજપના આ નગરસેવકની શું ધરપકડ થશે? કોર્ટે એન્ટીસીપેટરી બેલ ફગાવ્યા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

સરકારી કર્મચારીને ધમકાવનારા લોકોના એન્ટીસીપીટેરરી જામીન મંજૂર કરીને સમાજને ખોટું ઉદાહરણ આપવું નથી એવા દાવા સામે હાલમાં જ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક હરીશ કૃષ્ણા ભાંદિર્ગેના એન્ટીસીપેટરી બેલ ફગાવી દીધા છે. તેથી  તેમની ધરપકડ થાય એવી શકયતા છે.  આ નગરસેવકે મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા ખાતાના આસિસન્ટ એન્જિનિયરને ગાળો આપી હતી. તેથી તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

સરકારી કર્મચારી તેની ફરજ બજાવતો હોય અને નગરસેવક તેને ગાળો આપે, તેને ધમકાવે તથા તેની મારપીટ કરે તે યોગ્ય નથી. આ રીતે સરકારી કર્મચારીઓને ફોન પર ધમકીઓ આવી તો સંપૂર્ણ યંત્રણા પંગુ થઈ જશે અને આ ટ્રેન્ડ વધતો જ જશે તેથી તેના તરફ દૂર્લક્ષ કરવામાં આવે અને જો એન્ટીસીપીટેરી જામીન મંજૂર કરવામાં આવે તો કાયદાનું પાલન કરનારા  નાગરિકોને ખોટો સંદેશો જશે. નગરસેવકો તરફથી દબાણ લાવવામાં આવે તો પાલિકા અને સરકારી યંત્રણા ખોરવાઈ જશે  એવું કહીને કોર્ટે નગરસેવકના જામીન ફગાવી દીધા હતા.

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version