Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી- જો તમે પણ તરબૂચ ને કાપી ને ફ્રિજ માં રાખતા હોવ તો થઇ જાઓ સાવધાન- વિટામિન થઈ જાય છે નષ્ટ-જાણો તરબૂચ ને ઠંડુ ખાવાના ગેરફાયદા વિશે

News Continuous Bureau | Mumbai

આ કાળઝાળ ગરમીમાં બહાર ગયા પછી જો તમારે કંઈક ખાવાનું મન થાય તો તે છે ઠંડી વસ્તુઓ. જ્યારે ઉનાળામાં ફળોના સેવનની વાત આવે છે, તો તમે વિચાર્યું જ હશે કે તરબૂચનું (watermelon)સેવન કરવું જોઈએ. તરબૂચ એક એવું ફળ છે, જે તમને હાઈડ્રેટ(hydrate) રાખવાની સાથે-સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. હા, જો તમે તેનું સેવન કરવાની સાચી રીત જાણતા હોવ. તરબૂચમાં 92 ટકા જેટલું પાણી હોય છે, જે તેને ઉનાળા માટેના શ્રેષ્ઠ ફળોમાંનું એક બનાવે છે. જો તમે તરબૂચને તાજા કાપીને ખાઓ છો (watermelon benefits)) તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તમે તેને કાપીને તેને ઠંડુ કરવા માટે ફ્રીજમાં (keep in fridge)રાખો છો, તો તે તમારા માટે કોઈ ઝેરથી ઓછું નથી. ચાલો જાણીએ કેમ તરબૂચને ફ્રીજમાં રાખવું નુકસાનકારક છે.

Join Our WhatsApp Channel

1-તાજા તરબૂચના ફાયદા 

હેલ્થ એક્સપર્ટ ના મતે ઉનાળામાં તરબૂચ ખાવાની સાચી રીત એ છે કે તેને તાજા કાપીને (fresh watermelon)ખાવું. જો તમે તેને ફ્રિજમાં રાખી રહ્યા છો, તો ફ્રિજનું તાપમાન ઘણું ઓછું હોવું જોઈએ. તરબૂચ આપણા સ્વાસ્થ્ય (health benefits of watermelon)માટે વરદાનથી ઓછું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી6 અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચમાં સૌથી વધુ માત્રામાં લાઇકોપીન (lycopin)જોવા મળે છે, જે શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. એટલું જ નહીં, આ ફળ કેન્સર (cancer)જેવી જીવલેણ બીમારીઓથી બચવામાં મદદ કરે છે.

2-તરબૂચનું પોષણ મૂલ્ય

એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર તરબૂચમાં એન્ટી ઓક્સીડેન્ટનું (antioxidant)પ્રમાણ પણ વધુ હોય છે. 2 કપ કાપેલા તરબૂચ તમને 12.7 ગ્રામ સુધી લાઇકોપીન(lycopin) આપી શકે છે. પરંતુ જો તમે તરબૂચને ફ્રીજમાં રાખો છો અથવા તેને ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખો છો, તો તેમાં હાજર લાઇકોપીનનું પ્રમાણ ઘટી જાય છે. આ સિવાય તરબૂચમાં અન્ય એક પૌષ્ટિક તત્વ જોવા મળે છે, જેને સિટ્રોલિન કહેવાય છે. કાપેલા તરબૂચના 2 કપમાં 286 ગ્રામ સિટ્રુલિન જોવા મળે છે.

3-ફ્રિજમાં રાખેલા તરબૂચનું નુકસાન 

હેલ્થ એક્સપર્ટ કહે છે કે જો તમે તરબૂચને રેફ્રિજરેટરમાં રાખો છો તો લાઇકોપીન, સિટ્રોલિન, વિટામિન એ, વિટામિન સીનું પ્રમાણ ઘટે છે. આટલું જ નહીં, તરબૂચને કાપીને ફ્રીજમાં રાખવાથી ચેપ લાગવાની (infection)શક્યતા વધી જાય છે. કાપેલા તરબૂચને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં રહેલી શુગરની માત્રા(sugar level) વધી જાય છે અને તેનાથી ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે, જે ક્યારેક ફૂડ પોઈઝનિંગનું(food poisoning) કારણ બની શકે છે. તેથી, જ્યારે પણ તમારે તરબૂચ ખાવું હોય ત્યારે તેને સમારી ને ફ્રિજ માં રાખવા ને બદલે તાજું સમારી ને ખાઓ. 

4-ઠંડા તરબૂચ ખાવાના ગેરફાયદા 

તરબૂચને ફ્રિજમાં રાખવાથી તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે અને આ સમસ્યાઓનું જોખમ રહે છેઃ 1-ઠંડા તરબૂચને ખાવાથી ખાંસી અને શરદી (cough and cold)થઈ શકે છે. 2- ઠંડા તરબૂચના ટુકડા ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. 3-તરબૂચમાં રહેલા બેક્ટેરિયા (bacteria)આંતરડાને નુકસાન પહોંચાડે છે. 4- પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમને પણ દિવસભર થાક લાગતો હોય તો- શરીરમાં હોઈ શકે છે આ વસ્તુ ની ઉણપ- જાણો તેના લક્ષણો વિશે

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version