Site icon

અમદાવાદ રેલવે વિભાગના પાલનપુર-ચંડીસર રેલ્વે સ્ટેશનો વચ્ચે ટ્રેક ડબલિંગના કામને લીધે રેલ ટ્રાફિકને થશે અસર, જાણો કઈ કઈ ટ્રેનો થશે પ્રભાવિત?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશભરમાં ચાલી રહેલા રેલ્વેના વિકાસ અને સુધારણાના કામોને કારણે અનેક જગ્યાએ રેલ ટ્રાફિકને માઠી અસર થઈ રહી છે. ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલવે ઝોન હેઠળ આવતા અમદાવાદ રેલવે વિભાગના પાલનપુર-ચંડીસર રેલ્વે સ્ટેશનો વચ્ચે ડબલીંગ નું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર પાલનપુર-ચંડીસર રેલવે સ્ટેશન વચ્ચે ડબલિંગના કામને કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. આ સિવાય 6 અન્ય ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

રદ કરાયેલી ટ્રેનોની યાદી

1. ટ્રેન નંબર- 14893, જોધપુર-પાલનપુર ટ્રેન 24 અને 25 ફેબ્રુઆરીના રોજ રદ થશે.

2. ટ્રેન નંબર – 14894, પાલનપુર-જોધપુર ટ્રેન 25 અને 26 ફેબ્રુઆરીના રોજ રદ થશે.

3. ટ્રેન નંબર – 14821, જોધપુર-સાબરમતી ટ્રેન 24 અને 25 ફેબ્રુઆરીના રોજ રદ થશે.

4. ટ્રેન નંબર – 14822, સાબરમતી-જોધપુર ટ્રેન 25 અને 26 ફેબ્રુઆરીના રોજ રદ થશે.

5. ટ્રેન નંબર- 09437, મહેસાણા-આબુરોડ ટ્રેન 25 ફેબ્રુઆરીએ રદ થશે.

6. ટ્રેન નંબર- 09438, આબુ રોડ-મહેસાણા ટ્રેન 26 ફેબ્રુઆરીના રોજ રદ થશે.

શેર ધારકો માટે સારા સમાચાર, ભારતીય શેર માર્કેટમાં આજથી T+1 સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ, જાણો તેના ફાયદાઓ
 

આ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે

1. ટ્રેન નંબર 12479, જોધપુર-બાંદ્રા ટર્મિનસ, 25મી ફેબ્રુઆરીએ જોધપુરથી ઉપડશે, આ ટ્રેનને વૈકલ્પિક રૂટ જોધપુર-ભીલડી-પાટણ-મહેસાણા માર્ગે ડાયવર્ટ કરવામાં આવશે.

2. ટ્રેન નંબર 12480, બાંદ્રા ટર્મિનસ-જોધપુર, 25મી ફેબ્રુઆરીના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી આ ટ્રેનને વૈકલ્પિક રૂટ મહેસાણા-પાટણ-ભીલડી-જોધપુર માર્ગે ડાયવર્ટ કરવામાં આવશે.

3. ટ્રેન નંબર 19223, અમદાવાદ-જમ્મુ તાવી, 25મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી ઉપડતી આ ટ્રેનને વૈકલ્પિક રૂટ મહેસાણા-પાટણ-ભીલડી-જોધપુર માર્ગે ડાયવર્ટ કરવામાં આવશે.

4. ટ્રેન નંબર 14707, બિકાનેર-દાદર, 25 ફેબ્રુઆરીએ બિકાનેરથી ઉપડતી આ ટ્રેન જોધપુર-ભીલડી-પાટણ-મહેસાણાના કન્વર્ટેડ રૂટ પર ચલાવવામાં આવશે.

5. ટ્રેન નંબર 14708, દાદર-બીકાનેર, 25 ફેબ્રુઆરીએ દાદરથી ઉપડતી ટ્રેનને વૈકલ્પિક રૂટ મહેસાણા-પાટણ-ભીલડી-જોધપુર રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.

યુક્રેનમાં ભારતનું 'મિશન એરલિફ્ટ', મોદી સરકારે યુદ્ધના ક્ષેત્રમાંથી ભારતીયોને બહાર કાઢવા મોદી સરકારે ઘડ્યો આ પ્લાન ; જાણો વિગત

ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણે આપેલી માહિતી મુજબ ઉત્તરપૂર્વ સીમા રેલ્વેના રંગીયા વિભાગ પર પંચરત્ન-દુધનોઈ રેલ્વે સ્ટેશનો વચ્ચે ડબલીંગના કામને કારણે, 28મી ફેબ્રુઆરીએ ઉદયપુરથી ઉપડતી ટ્રેન નંબર 19615 ઉદયપુર-કામખ્યા ટ્રેન રદ રહેશે..

ઉલ્લેખનીય છે કે કે, હાલમાં ભારતીય રેલ્વે દેશના તમામ ભાગોમાં વિકાસ અને સુધારાના કાર્યો કરી રહી છે. જેના કારણે દરરોજ અનેક ટ્રેનો કેન્સલ થવાની સાથે અનેક ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવી રહ્યા છે. જો તમે પણ ક્યાંક જવા માટે ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હોય તો ઘરેથી નીકળતા પહેલા તમારે ભારતીય રેલ્વેના હેલ્પલાઈન નંબર 139 પર ફોન કરીને તમારી ટ્રેનનું સ્ટેટસ જાણી લેવું.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version