Site icon

બ્યૂટી ટિપ્સ: સ્વાસ્થ્ય ની સાથે સાથે સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમારા આહાર માં સામેલ કરો સંતરા, મળશે આ ફાયદા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર 

ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે પોષક તત્વોથી ભરપૂર ફળોનો આહારમાં સમાવેશ કરી શકાય છે. સંતરા પણ એક એવું ફળ છે, જે પોષક તત્વોથી ભરપૂર છે અને સૌથી સારી વાત એ છે કે તે બજારમાં સરળતાથી મળી રહે છે. ત્વચા માટે સંતરા વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સંતરા ના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.વાસ્તવમાં, સંતરા માત્ર રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં જ નહીં, પણ ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. આહારમાં સંતરા નો સમાવેશ કરીને ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે. તમને જણાવી દઈએ કે સંતરામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદાઓ આપવામાં મદદ કરી શકે છે.

1. ચમકતી ત્વચા-

સંતરાની અંદર એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

2. સ્વસ્થ ત્વચા-

સંતરા ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. વિટામિન સી ઉપરાંત વિટામિન એ અને વિટામિન ઇ પણ સંતરામાં મળી આવે છે. ડાયટમાં સંતરા નો સમાવેશ કરીને તમે ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.

3. ખીલ-

સંતરામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે, જે ખીલની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

4. કરચલીઓ માટે-

જો તમારી ત્વચામાં અકાળે કરચલીઓ દેખાવા લાગી હોય તો  તમે તમારા આહારમાં સંતરાનો રસ અથવા સંતરાનો સમાવેશ કરી શકો છો. તેમાં જોવા મળતા પોષક તત્વો કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.

બ્યૂટી ટિપ્સ: નાકની આસપાસ જમા થતા તેલ ને દૂર કરવા માટે અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપાયો ;જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version