ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
સંસદમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ 2016 થી 2020 ની વચ્ચે આશરે 2729 લોકોના મૃત્યુ હાથી ને કારણે થયા છે.
દેશના અલગ-અલગ વિસ્તારમાં થયેલી ઘટનાઓમાં હાથીઓએ લોકોને કચડી ને માર્યા છે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં થયેલા વાઘના હુમલામાં આશરે ૨૦૦ લોકોના મૃત્યુ થયા છે.
આમ ભારતમાં દૈનિક બે લોકો હાથીના હુમલામાં માર્યા જાય છે.
