Site icon

Eyes burning : ચોમાસાને કારણે આંખોમાં થઈ રહી છે બળતરા? જાણો તેને દૂર કરવાના ઉપાયો

ચોમાસાના કારણે, લોકોને ઘણીવાર તેમની આંખોમાં બળતરાની સમસ્યા થવા લાગે છે. આ કારણે વ્યક્તિની રોજબરોજની પ્રવૃત્તિઓ પર પણ નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા આંખની બળતરા દૂર કરી શકાય છે

News Continuous Bureau | Mumbai

ચોમાસાને કારણે આંખોમાં થઈ રહી છે બળતરા? જાણો તેને દૂર કરવાના ઉપાયો

Join Our WhatsApp Community

ચોમાસાના કારણે, લોકોને ઘણીવાર તેમની આંખોમાં બળતરાની સમસ્યા થવા લાગે છે. આ કારણે વ્યક્તિની રોજબરોજની પ્રવૃત્તિઓ પર પણ નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા આંખની બળતરા દૂર કરી શકાય છે. ત્યારે આજે જાણીશું જે કયા ઘરગથ્થુ ઉપાયોથી તમે આંખોની બળતરાથી છુટકારો મેળવી શકો છો.

આંખોમાં બળતરા દૂર કરવા માટેના ઉપાય

ચોમાસાને કારણે ઘણીવાર વાતાવરણમાં ભેજને કારણે આંખોમાં બળતરા થવાની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં જો ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક લેવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે. તે આંખોમાં શુષ્કતાની સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી છે.

આ સમાચાર પણ વાંચો:  Anil Ambani: વેચાવા જઈ રહી છે અનિલ અંબાણીની આ કંપની, 40,000 કરોડનું છે દેવું

ઘણીવાર આંખોમાં બળતરા પાણીના અભાવને કારણે પણ થઈ શકે છે. આ કારણે વ્યક્તિને આંખોમાં શુષ્કતાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવાથી આંખની બળતરા ઓછી થઈ શકે છે.

સમયાંતરે વ્યક્તિએ આંખોમાં ઠંડા પાણીના છાંટા પણ મારતા રહેવું જોઈએ. આનાથી ન માત્ર આંખોમાં સોજાની સમસ્યા દૂર થઈ શકે છે, પરંતુ થાક પણ દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ઠંડુ પાણી છાંટવાથી આંખોને ઠંડક પણ મળે છે.

ગુલાબજળની મદદથી તમે ન માત્ર આંખોની બળતરા દૂર કરી શકો છો, પરંતુ આંખોમાં ખંજવાળ, આંખોમાં સોજો વગેરેથી પણ રાહત મેળવી શકો છો. આવી સ્થિતિમાં ગુલાબજળને ફ્રીજમાં રાખો અને બરફના ટુકડા બનાવીને આંખો પર રાખો. આ સિવાય તમે તમારી આંખોમાં થોડા ટીપાં નાખી શકો છો.

Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Exit mobile version