Site icon

સ્વાસ્થ્ય જાણકારી- માત્ર ફેફસાંનું નહીં પરંતુ આ રોગો નું પણ કારણ છે વાયુ પ્રદૂષણ

News Continuous Bureau | Mumbai

વાયુ પ્રદૂષણ પર્યાવરણ માટે એક મોટું જોખમ પરિબળ છે. તાજેતરના દાયકાઓમાં તે ફેફસાંથી લઈને અન્ય અવયવો પર માનવ સ્વાસ્થ્ય પર ઉચ્ચ ઝેરી અસરો સાથે ગંભીર સમસ્યા બની ગઈ છે. દર વર્ષે લાખો લોકો વાયુ પ્રદૂષણને(air pollution) કારણે થતા રોગોના કારણે જીવ ગુમાવે છે.ઘરની અંદરના ધુમાડાની સાથે શહેરો પર ફરી એકવાર ધુમાડો જોવા મળી રહ્યો છે, જે આપણા બધાના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાંની નિષ્ફળતા જ નહીં પરંતુ સ્ટ્રોક, હૃદયરોગ, ફેફસાના કેન્સર અને શ્વસન સંબંધી રોગોનું કારણ બની રહ્યું છે.આપણે બધા જાણીએ છીએ કે વાયુ પ્રદૂષણ આપણા ફેફસાંને(lungs) કેટલી અસર કરે છે, પરંતુ આ નુકસાન માત્ર ફેફસા પૂરતું મર્યાદિત નથી. પ્રદૂષણ આપણા હૃદય, મગજ, આંખો અને ચામડીના સ્વાસ્થ્ય (skin health)સાથે સંધિવા જેવા સ્વયંપ્રતિરક્ષા રોગોનું કારણ બની શકે છે.

Join Our WhatsApp Community

1. પ્રદૂષણ હૃદયનું દુશ્મન છે

વાયુ પ્રદૂષણ તમારા હૃદયને (heart)પણ અસર કરે છે. દૂષિત હવામાં શ્વાસ લેવાથી, હવાના પ્રદૂષણના કણો લોહીના પ્રવાહમાં ઊંડા જઈને ફેફસાં અને હૃદય સુધી પહોંચી શકે છે. તેનાથી લાંબા ગાળે હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે.

2. સંધિવાની સમસ્યા

સંશોધનમાં વાયુ પ્રદૂષણ અને સ્વયંપ્રતિરક્ષા રોગો વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. પ્રદુષકોના સંપર્કમાં આવવાથી રૂમેટોઈડ આર્થરાઈટીસ(arthraitis) ના દર્દીઓમાં સોજા ની સમસ્યા વધી જાય છે.

3. ત્વચા પર પ્રદૂષણની અસરો

પ્રદૂષિત હવા ત્વચાની ભેજને છીનવી લે છે અને તેને શુષ્ક(dry) બનાવે છે, જે ત્વચામાં બળતરા, લાલાશ અને ખરજવું તરફ દોરી જાય છે. પ્રદૂષિત હવામાં રહેલા કણોને કારણે ત્વચાને ઘણી અસર થાય છે.

4. આંખની સમસ્યાઓ

જેમ જેમ પ્રદૂષણનું સ્તર વધે છે, ઘણા લોકો આંખોમાં(eye infection) બળતરા, લાલાશ, શુષ્કતા અથવા પાણીની સમસ્યા સાથે સંઘર્ષ કરે છે. જો આવું થાય, તો કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

5. ગર્ભાવસ્થામાં પ્રદૂષણની અસરો

ગર્ભાવસ્થા(pregnancy) દરમિયાન વાયુ પ્રદૂષણ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમાં પ્રિમેચ્યોર જન્મ અને ઓછું વજન અને સ્ટીલ બર્થ  થવાનું જોખમ વધી જાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- એલોવેરા જ્યુસ પીવાથી શરીરને થાય છે ઘણા લાભ- જાણો ક્યારે અને કેવી રીતે પીવાથી થશે ફાયદો

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version