Site icon

સ્વાસ્થ્ય જાણકારી: આ રોગો માટે રામબાણ ઈલાજ છે એલચી; જાણો તેના ચમત્કારિક ફાયદાઓ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર 

એલચી એક અદ્ભુત મસાલો છે, જે તેના તીખા, ઉત્તેજક અને અનન્ય સ્વાદ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. સદીઓથી, તેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા અને વાનગીઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તે બહુહેતુક મસાલો છે. એલચી તેના સ્વાસ્થ્ય લાભો અને હીલિંગ ગુણધર્મો માટે પણ જાણીતી છે. એલચીનો ઉપયોગ ઘણી વખત ફ્લેવરિંગ એજન્ટ તરીકે થાય છે. શારીરિક શક્તિ વધારવા માટે આયુર્વેદિક દવાઓમાં નાની એલચીનો ઉપયોગ ઘણીવાર થાય છે. 

1. કેન્સર સામે લડે છે

ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે એલચી અમુક ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જે બદલામાં કેન્સર સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. એલચી અને તજ કોલોરેક્ટલ કેન્સરના જોખમને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે.

2. વજન ઘટાડવામાં મદદ કરે છે

એલચીનો ઉપયોગ ચયાપચયને વેગ આપવા અને ચરબીના ભંગાણને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વધારાનું વજન ઘટાડવા માં મદદ કરે છે.

3. ઊંઘ લાવવા માં મદદ કરે છે 

જેમને ઊંઘની સમસ્યા જેમ કે અનિદ્રા, ચિંતા, તણાવ અને બેચેની હોય એવા લોકો માટે આ મસાલો ઉપયોગી છે એલચીના તેલની સુગંધને થોડીક સેકન્ડ માટે શ્વાસમાં લેવાથી ઊંઘ સંબંધી વિકારની સારવારમાં મદદ મળી શકે છે.

4. હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે

એક વૈજ્ઞાનિક અભ્યાસે પુષ્ટિ કરી છે કે હૃદયને સોજા થી બચાવવા માટે એલચીનું સેવન ફાયદાકારક છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે ફાયદાકારક જણાયું છે.

5. બેક્ટેરિયલ વિરોધી

એલચી તેના ચેપ સામે લડવાના ગુણો માટે જાણીતી છે. એલચીના તેલમાં ફૂડ પોઇઝનિંગ સહિત ખતરનાક બેક્ટેરિયલ ચેપ સામે લડવાની ક્ષમતા પણ હોય છે.

6. દંત ચિકિત્સામાં ફાયદાકારક

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એલચી ખાવાથી દાંતના પોલાણને રોકવામાં મદદ મળે છે. તેના તેલથી ગાર્ગલ કરવાથી દાંતમાં પ્લાકને રોકવામાં મદદ મળે છે.

સ્વાસ્થ્ય જાણકારી: પાચન થી લઇ ને વજન ઘટાડવા સુધી આમલી છે પોષક તત્વો થી ભરપૂર; જાણો તેને ખાવા ના ફાયદા વિશે

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version