Site icon

સ્વાસ્થ્ય જાણકારી- પહેલાના જમાનામાં શાકભાજી સાથે મફતમાં આવતા લીલા ધાણા છે ખૂબ જ ફાયદાકારક -આ રોગોથી મેળવી શકો છો છુટકારો

 News Continuous Bureau | Mumbai

લીલા ધાણાનો ઉપયોગ આપણા દરેક ઘરમાં ચોક્કસપણે થાય છે. કોથમીરનાં પાનનો(coriander leaves) ઉપયોગ ગાર્નિશિંગ માટે પણ થાય છે. તેમજ, તેના બીજને સૂકવીને સૂકા મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. કોથમીરના ઉપયોગથી વાનગીની સુગંધ અને સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કોથમીર તમારા સ્વાસ્થ્ય(coriander health benefits)માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ડાયેટરી ફાઇબરનો (fiber)પણ મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. તે વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોથમીરનું સેવન કરવાથી શું ફાયદા થાય છે.

Join Our WhatsApp Community

1. કબજિયાતની સમસ્યાથી છુટકારો મળશે

જો તમને પણ કબજિયાતની(constipetion) સમસ્યા હોય તો લીલા ધાણાને આહારમાં સામેલ કરી શકાય છે. તે પેટની સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે તે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. તેના તાજા પાનને છાશમાં (buttermilk)ભેળવીને પીવાથી અપચો, ઉબકા અને મરડોમાં આરામ મળે છે.

2. પેશાબની સમસ્યાનો ઉકેલ

પાણી ઓછું પીવાથી પેશાબની (urinary problems)સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં, તમે ધાણાના પાંદડાની ચટણી બનાવીને અથવા કોઈપણ સ્વરૂપમાં સૂકી કોથમીરનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

3. બ્લડ સુગરને નિયંત્રિત કરે

લીલા ધાણાનો ઉપયોગ ડાયાબિટીસના(diabetes) દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

4. ઘાને ઝડપથી મટાડે છે 

લીલા ધાણા મોઢાના ઘા મટાડવામાં(healing) રામબાણ ગણાય છે. તેમાં હાજર એન્ટી-સેપ્ટિક ગુણ મોઢાના ઘાને ઝડપથી મટાડવા નું કામ કરે છે.

5. ચહેરાને ચમકદાર બનાવવા માટે 

ધાણા ત્વચા માટે પણ ફાયદાકારક છે. (skin)જો તમે પણ ચહેરાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તેનો ઉપયોગ ચોક્કસ કરો. આ માટે કોથમીર અને લીંબુના રસનું મિશ્રણ બનાવો. આ મિશ્રણને ખીલ અથવા ફ્રીકલ પર લગાવો. તે મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. જે તમારા ચહેરાને ચમકદાર બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમે આયર્નની ઉણપ થી પરેશાન છો તો આ ફળો અને શાકભાજીને કરો તમારા ડાયટમાં સામેલ-તરત જ વધશે લોહી-જાણો તેના લક્ષણો વિશે

 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version