Site icon

સ્વાસ્થ્ય જાણકારી: દહીં માં ખાંડ અને મીઠું નહિ પરંતુ મધ નાખીને ખાઓ, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ઋતુમાં (summer season) લોકો દહીંનું (yogurt) વધુ સેવન કરે છે. કારણ કે તે આપણા શરીરને ઠંડુ રાખે છે. આ સિવાય દહીં આપણા પાચનતંત્રને પણ મજબૂત રાખે છે, કારણ કે દહીં આપણા શરીરમાં સારા બેક્ટેરિયા ઉત્પન્ન કરવાનું કામ કરે છે. મોટાભાગના લોકોને ખાંડ (Sugar) કે કાળું મીઠું (black salt) ભેળવીને દહીં ખાવાનું પસંદ હોય છે. શું તમે ક્યારેય મધ (honey) સાથે દહીં ભેળવીને ખાવાનું વિચાર્યું છે ખરું? વાસ્તવમાં, દહીંમાં ખાંડ ભેળવીને ખાવાનું ચલણ વધુ છે, તેથી મધ પર કોઈનું ધ્યાન જતું નથી. પરંતુ જ્યારે તમે તેના ફાયદા જાણશો, તો પછીથી તમે ચોક્કસપણે ખાંડ અથવા મીઠાને બદલે દહીં માં મધ નાખી ને ખાશો. વાસ્તવમાં આ બંનેને એકસાથે ખાવાથી આપણું શરીર અનેક ગંભીર બીમારીઓના શિકાર થવાથી બચી જાય છે. તો ચાલો જાણીએ તેના જબરદસ્ત ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. તેનો પ્રથમ ફાયદો વજન ઘટાડવામાં (weight loss) છે. દહીં અને મધ (honey and yogurt) એકસાથે ખાવાથી વજન ઓછું થાય છે. દહીંમાં પ્રોટીન (protien)અને કેલ્શિયમ (celcium) ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે પેટની વધારાની ચરબી ઓછી થાય છે.

2. દહીં અને મધનું (yogurt and honey) મિશ્રણ હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ સારું છે, કારણ કે તેમાં જોવા મળતા બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ શરીરના કોલેસ્ટ્રોલ (colestrol) લેવલને ઘટાડે છે. બીજી તરફ, મધમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને ઘટાડવામાં મદદરૂપ છે.

3. દહીં અને મધનું મિશ્રણ હાડકાંને મજબૂત (bone health) રાખવામાં મદદરૂપ છે. કારણ કે તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંને પોષક તત્વો મજબૂત હાડકાં જાળવવામાં મદદરૂપ સાબિત થાય છે.

4. આ સિવાય આ બંનેને એકસાથે ખાવાથી (honey and yogurt)ઓસ્ટિયોપોરોસિસ, લોહી સંબંધિત સમસ્યાઓ, ડાયેરિયા, આર્થરાઈટિસ વગેરેમાં પણ રાહત મળે છે. સાથે જ આ બંનેનું મિશ્રણ રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્રને પણ મજબૂત રાખે છે. તે પેટમાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કામ કરે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: માત્ર શિયાળામાં જ નહિ ઉનાળા માં પણ છે ઘી ખાવાના અદભૂત ફાયદા; જાણો તેના સેવન થી શું લાભ થાય છે

 

 

Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Exit mobile version