Site icon

રામાયણ સર્કિટ ટ્રેનમાં વેઈટરોના કપડાને લઈને થયો વિવાદ, સાધુ-સંતોએ ગણાવ્યું પોતાનું અપમાન; જાણો શું છે સમગ્ર મામલો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 નવેમ્બર  2021 
બુધવાર. 

ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આઈઆરસીટીસીએ નવી ચાલુ કરેલી રામાયણ સર્કિટ ટ્રેન સાથે વિવાદ જોડાઈ ગયો છે. સાત નવેમ્બરથી આ ટ્રેન ચાલુ થઈ છે. ટ્રેનને પર્યટકોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે. પરંતુ આ ટ્રેનમા રહેલી રેસ્ટોરાંમાં વેઈટરો ભગવા કપડા પહેરીને ભોજન પીરસી રહ્યા છે, તેના ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર ફરી વળતા દેશના સાધુ-સંતોએ તેને પોતાનું અપમાન ગણાવીને તેનો વિરોધ કર્યો છે. તો સાથે જ સોશિયલ મિડિયા પર પણ લોકોએ  તેનો મોટી માત્રામાં વિરોધ કર્યો છે.
સોશિયલ મીડિયા પર ફરી વળેલા વિડિયો અને ફોટો બાદ અનેક ટ્વીટર યુઝરોએ તેનો વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ સાધુ-સંતોની વેશભૂષામાં લોકોને ખાવાનું આપવાનું, લોકોના એઠા વાણસો ઉપાડવાને સાધુ સંતોનું અપમાન ગણાવ્યુ હતું. અમુક યુઝરોએ તો આઈઆરસીટીસી સહિત રેલવે ખાતાને તાત્કાલિક ધોરણે વેઈટરોના કપડા બદલવાની માગણી કરી છે.

Join Our WhatsApp Community

જો તમે કર્ણાટકની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ 5 જગ્યાઓની લો અવશ્ય મુલાકાત; જાણો તે છુપાયેલા સ્થળો વિશે

અહીં ઉલ્લેખનીય છે કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રામાયણ યાત્રા માટે સાત નવેમ્બરથી રામાયણ સર્કિટ ટ્રેન દિલ્હી થી ચાલુ કરવામાં આવી છે. બીજી ટ્રેન 12 ડિસેમ્બરના ચાલુ થશે. તેના બુકિંગ ચાલી રહ્યા છે. આ યોજના હેઠળ શ્રધ્ધાળુઓને ભગવાન રામ સાથે  જોડાયેલા 15 સ્થળોના દર્શન કરાવવામાં આવવાના છે. આ ટ્રેન લગભગ 7,500 કિલોમીટરનું અંતર કાપવાની છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version