Site icon

રાજકારીઓને મંદી નથી નડતી.. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10 ટકાનો વધારો કરાયો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
21 ઓક્ટોબર 2020

કોરોના કાળમાં ચૂંટણીઓ સામે આવી રહી છે. રાજકારીઓ આ વખતે લાવ-લશ્કર લઈ ને તો નહીં નીકળી શકે . કારણકે મેડિકલ ગાઈડલાઈન નું ચુસ્ત પણે તેમણે પાલન કરવું પડશે. આમ છતાં પોતાના પ્રચાર માટે તેઓને હાલની મર્યાદા ઓછી લાગી હતી. આથી તેઓએ સેન્ટ્રલ ચૂંટણી આયોગને રકમની મર્યાદા વધારવાની માંગ કરી હતી..

Join Our WhatsApp Community

લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10 ટકાનો વધારો કરાયો છે. કેન્દ્રએ આ અંગે ચૂંટણી આયોગની ભલામણોનો સ્વિકાર કર્યો છે. ચૂંટણી આયોગે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીઓ પડી રહી છે માટે ઉમેદવારોએ વધુ ખર્ચની મંજૂરી આપવામાં આવે એવી માંગ કરી હતી. કાયદા મંત્રાલયે કાલે રાત્રે આ અંગે સૂચના જારી કરી હતી, જે મુજબ લોકસભા ચૂંટણી માટે હવે ઉમેદવારો 70 લાખના બદલે 77 લાખ ખર્ચ કરી શકશે. વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા 28 લાખથી વધારી 30 લાખ 80 હજાર રૂપિયા કરાઈ છે..

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version