Site icon

રાજકારીઓને મંદી નથી નડતી.. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10 ટકાનો વધારો કરાયો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
21 ઓક્ટોબર 2020

કોરોના કાળમાં ચૂંટણીઓ સામે આવી રહી છે. રાજકારીઓ આ વખતે લાવ-લશ્કર લઈ ને તો નહીં નીકળી શકે . કારણકે મેડિકલ ગાઈડલાઈન નું ચુસ્ત પણે તેમણે પાલન કરવું પડશે. આમ છતાં પોતાના પ્રચાર માટે તેઓને હાલની મર્યાદા ઓછી લાગી હતી. આથી તેઓએ સેન્ટ્રલ ચૂંટણી આયોગને રકમની મર્યાદા વધારવાની માંગ કરી હતી..

Join Our WhatsApp Community

લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10 ટકાનો વધારો કરાયો છે. કેન્દ્રએ આ અંગે ચૂંટણી આયોગની ભલામણોનો સ્વિકાર કર્યો છે. ચૂંટણી આયોગે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીઓ પડી રહી છે માટે ઉમેદવારોએ વધુ ખર્ચની મંજૂરી આપવામાં આવે એવી માંગ કરી હતી. કાયદા મંત્રાલયે કાલે રાત્રે આ અંગે સૂચના જારી કરી હતી, જે મુજબ લોકસભા ચૂંટણી માટે હવે ઉમેદવારો 70 લાખના બદલે 77 લાખ ખર્ચ કરી શકશે. વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા 28 લાખથી વધારી 30 લાખ 80 હજાર રૂપિયા કરાઈ છે..

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version