Site icon News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રા શરૂ કરવા મુદ્દે પૂજારીઓ અસહમત, જ્યારે માં વૈષ્ણો દેવીના દર્શનની તૈયારીઓ શરૂ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

4 જુન 2020 

ચારધામ યાત્રા ને લઇ ઉત્તરાખંડ સરકાર 8 જૂનથી સીમિત માત્રામાં શ્રદ્ધાળુઓને પરવાનગી આપવા તૈયારી કરી રહી છે. બીજી બાજુ મંદિરોના રાવલ સહિત પૂજા અને સેવા સાથે સંકળાયેલા લોકો આ બાબતે રાજી નથી. પૂજારીઓની માંગ છે કે જે રીતે દેશમાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે તે જોતાં 30 જૂન સુધી દર્શન અને યાત્રા પર રોક લગાવવામાં આવે. સાથે જ મંદિરોના તીર્થ પુરોહિતો એ જણાવ્યું કે "માત્ર સ્થાનિક લોકોને આ ધર્મસ્થાનોમાં આવવાની મંજૂરી અપાય એ જ અત્યારે ઉચિત છે". આમ  ચારધામ યાત્રા ને ખૂલ્લી મૂકવા માટે પૂજારીઓ અસહમત છે.

   જ્યારે બીજી બાજુ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ, માતા વૈષ્ણોદેવી મંદિર માં દર્શનને લઈ તડામાર તૈયારીઓ કરી રહયું છે. મંદિર નું કહેવું છે કે 18 માર્ચથી બંધ કરાયેલા આ મંદિરને હવે કેન્દ્રિય દિશાનિર્દેશ બાદ જ બહાલ કરવામાં આવશે. આમ છતાં સોશિયલ ડિસ્ટનસિંગ નું ધ્યાન રાખવામાં આવશે. મંદિર ખોલવા પહેલાની તૈયારી રૂપે હાલ ઘોડા અને તેના માલિકોનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. મંદિરના દરવાજાઓમા થર્મલ સ્કેનર લગાવવામાં આવી રહ્યા છે. તેમજ વૈષ્ણોદેવીના માર્ગોમાં અને ગુફાઓમાં સુરક્ષાના ઉપાયો અપનાવાઈ રહ્યા છે..

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version