Site icon

સ્વાસ્થ્ય જાણકારી: તમારા આહારમાં સામેલ કરો આમળા ના બીજ, મળશે આ અજોડ ફાયદા; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          
બુધવાર 

આમળા એક એવું સુપરફૂડ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે પણ થાય છે. આમળામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ શું તમે આમળાના બીજના ફાયદા જાણો છો? હા, આમળા ના બીજ પણ આમળાની જેમ ફાયદાકારક છે.આમળાના બીજમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કેરોટીન, આયર્ન અને ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. આમળાના બીજ ખાવાથી શરીરને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. આમળાના બીજમાંથી બનેલા પાઉડરનું સેવન કરવાથી પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓને ઓછી કરી શકાય છે.

Join Our WhatsApp Community

હેડકી-

ઘણા લોકોને હેડકીની સમસ્યા હોય છે. જો તમે વારંવાર હેડકીની સમસ્યાથી પરેશાન છો, તો તમે આમળા ના દાણાના પાવડરને મધમાં ભેળવીને ખાઈ શકો છો. તેનાથી તમને હેડકીથી રાહત મળી શકે છે.

પેટ માટે-

આમળા ના દાણાના પાવડરનું સેવન પેટ સંબંધિત સમસ્યાઓ, કબજિયાત અને પાચનમાં કોઈ દવાથી ઓછું નથી. જો તમને કબજિયાતની સમસ્યા છે, તો તમે આમળા ના દાણાના પાવડરને હૂંફાળા પાણીમાં ઉમેરીને પી શકો છો.

નાકમાંથી લોહી નીકળવું-

ઘણા લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. પરંતુ કેટલીકવાર તે શિયાળાની ઋતુમાં પણ થઈ શકે છે. જો તમને નાકમાંથી લોહી આવવાની ફરિયાદ હોય તો તમે આમળાના બીજનો પાવડર બનાવીને કપાળ પર લગાવી શકો છો.

ત્વચા-

આમળાને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે નારિયેળના તેલમાં સૂકા આમળા ના બીજ ઉમેરીને પેસ્ટ બનાવો અને તે પેસ્ટને પિમ્પલવાળી જગ્યાઓ પર લગાવો તો તમને ફાયદો મળી શકે છે.

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version