Site icon

કોરોના 100 વર્ષનું સૌથી મોટામાં મોટું આર્થીક સંકટ છે, જાણો કેમ RBI ગવર્નરે એમ કહ્યું….! કયા કારણે..!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 જુલાઈ 2020

આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે 7 મી એસબીઆઇ બેંકિંગ અને આર્થિક સંમેલનમાં જણાવ્યું હતું કે કોવિડ -19 એ છેલ્લા 100 વર્ષોમાંનું સૌથી મોટું આરોગ્ય અને આર્થિક સંકટ છે. તેમણે કહ્યું, સારી વાત એ છે કે અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળી રહયાં છે. દેશમાં આર્થિક વ્યવહાર સામાન્યતા પર પહોંચી ગયા છે. પરંતુ આ સમયે બેંકોએ તેમના થનારા જોખમ પર ધ્યાન કેંદ્રિત કરવું પડશે. 

# આરબીઆઈ ગવર્નરે ત્રણ બાબતો પર ધ્યાન આપવાની વાત કહી છે જે મુજબ

– અર્થવ્યવસ્થામાં પુન:પ્રાપ્તિના સંકેતો દેખાઈ રહ્યા છે…

– દેશમાં આર્થિક વ્યવહાર સામાન્ય સ્થિતિમાં… 

– બેંકોએ જોખમ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે…

આરબીઆઈના  ગવર્નરે કહ્યું કે "કોરોના ચેપને કારણે ઉત્પાદન, નોકરીઓ અને આરોગ્ય પર નકારાત્મક અસર પડી છે. કટોકટીએ પહેલાથી અસ્તિત્વમાં રહેલા વૈશ્વિક વ્યવસ્થા, વૈશ્વિક મૂલ્યની સાંકળ અને વિશ્વવ્યાપી મજૂર અને મૂડી ચળવળને અસર કરી છે." તેમણે કહ્યું, અમારું સઘળું લક્ષ વ્યવસાય કરવાની બેન્કિંગ વ્યવસ્થામાં સરળતા લાવી વધુ સુધારો કરવા પર છે. ભારતીય કંપનીઓ સંકટમાં પણ સારો દેખાવ કરી રહી છે. આપણે ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આરબીઆઇ હાલની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version