Site icon News Continuous Bureau | Mumbai

આયુર્વેદ સામે ડોકટરોના સંગઠને મોરચો ખોલ્યો… જાણો એલોપેથીક ડૉક્ટરોને આયુર્વેદ સામે શું વાંધો પડ્યો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

11 ડિસેમ્બર 2020 

હાલ કોવિડ રોગચાળાની વચ્ચે, જો દેશભરના ડોકટરો દ્વારા બોલાવવામાં આવેલી હડતાલની વ્યાપક અસર પડે, તો સ્થિતિ ગંભીર બની શકે છે. જો કે, ભારતીય મેડિકલ એસોસિએશન (આઇએમએ) એ કહ્યું છે કે ઓપીડી સેવાઓ ચાલુ જ રહેશે અને બિન-આવશ્યક શસ્ત્રક્રિયાઓ થશે નહીં. આ હડતાલ પાછળનું કારણ છે નવેમ્બરમાં, કેન્દ્ર સરકારે બહાર પાડેલું એક જાહેરનામું. જેમાં આયુર્વેદિક તબીબોને 58 પ્રકારની સર્જરી કરવાની મંજૂરી આપી હતી. 

ત્યારથી આઇએમએ તેનો વિરોધ કરી રહયું છે. સંગઠન કહે છે કે, એનડીએ સરકાર શરૂઆતથી જ પ્રાચીન તબીબી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની તરફ વલણ ધરાવે છે. આ હેતુ માટે, સરકારે 2014 માં ખાસ નવું મંત્રાલય બનાવ્યું હતું, જેને આયુષ મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે એવું નથી કે આયુર્વેદિક ડોકટરોને તમામ સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત આયુર્વેદની સર્જિકલ અને સર્જિકલ પદ્ધતિના તાલીમ પામેલા ડોકટરોને જ આ સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આઇએમએ ડોકટરો કહે છે કે આધુનિક દવાને આયુર્વેદ સાથે જોડી શકાતી નથી. 

 

આઇએમએના સેક્રેટરી ડો. હેમાંગ બૈશ્યએ મીડિયાને જણાવ્યું હતું કે આધુનિક દવાઓમાં સંશોધન ચાલુ છે જ્યારે આયુર્વેદની પહોંચ અને સંશોધન ભારત સુધી મર્યાદિત છે. બીજીબાજુ  આયુર્વેદિક ડોકટરો કહે છે કે તેઓ દાયકાઓથી નાની નાની સર્જરી કરી જ રહયાં છે અને તેઓ આ માટે સંપૂર્ણ પ્રશિક્ષિત છે. હવે જોવાનું છે કે આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત આયુર્વેદ સામે ઉદ્ભવેલો વિરોધ શુ રૂપ લે છે!?.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version