Site icon News Continuous Bureau | Mumbai

કામના સમાચાર : કોરોનાકાળમાં રદ્દ કરાવેલ રેલ્વે ટિકિટના રિફંડ માટે રેલ્વે મંત્રાલયે કરી મહત્વની જાહેરાત, જાણો વિગતવાર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 જાન્યુઆરી 2021 

રેલ્વે  મંત્રાલયે ટ્રેનની ટિકિટ કેન્સલેશન અને રિફંડને લઈને મોટી જાહેરાત કરી છે. રેલવેએ કાઉન્ટર ટિકિટ રદ્દ કરવા અને તેના પર ક્લેમ રિફંડની સમય સીમા 6 મહિનાથી વધારીને 9 મહિના કરી દીધી છે. રેલ્વે મંત્રાલયે આ નિર્ણય કોરોનાથી થતાં સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને લીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીથી રેલવેએ લોકડાઉનમાં તમામ ટ્રેનો બંધ કરી દેતા ટીકીટ રીફંડ માટે છ મહિનાનો સમય જાહેર કર્યો હતો.  
 

Join Our WhatsApp Channel


રેલ્વે મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, રેલવે દ્વારા કરવામાં આવેલી આ ઘોષણા માત્ર રદ કરાયેલ નિયમિત શેડ્યૂલ ટ્રેનો પર લાગુ થશે. જો તમે ટિકિટ જાતે જ રદ કરી છે અથવા જો ટિકિટ અન્ય કોઈ કારણોસર રદ કરવામાં આવી છે, તો તે તેના પર લાગુ થશે નહીં. સાથે આ નિયમ ફક્ત તે જ કાઉન્ટર ટિકિટો પર લાગુ થશે જેમની યાત્રાની તારીખ 21 માર્ચ 2020 થી 31 જુલાઈ 2020 ની વચ્ચે હતી. 
 
નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણનેને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ રિફંડના નિયમોમાં પહેલાથી ફેરફાર કરી દીધો હતો. કેન્સલ ટ્રેનો પરત મેળવવા માટે ભારતીય રેલ્વે દ્વારા કાઉન્ટર ટિકિટ એકત્રિત કરવા છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. કોરોના પહેલાંના નિયમ મુજબ, જો કાઉન્ટર ટિકિટ ફક્ત ત્રણ દિવસમાં જ સબમિટ કરવાની હોય, તો રિફંડનો દાવો કરી શકાય છે.

Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Exit mobile version