Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈથી અમદાવાદ ખાલી જતી ટ્રેન ભરવા નવો નુસખો! તેજસના પ્રવાસીઓ માટે IRCTC લાવી નવી યોજના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

લૉકડાઉનના નિયમો હળવા કરવાની સાથે રેલવે પ્રશાસન દ્વારા પણ  બહારગામની ટ્રેનો પૂર્વવત્ દોડાવી રહી છે. એમાં વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને પ્રવાસીઓનો મોળો રિસ્પૉન્સ મળવાને કારણે અગાઉ થોડા સમય માટે બંધ પણ રાખવામાં આવી હતી. હવે જોકે તેજસને ફરી ચાલુ કરવામાં આવી છે ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) નવી-નવી યોજના બહાર લાવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં રક્ષાબંધન નિમિત્તે IRCTCએ મહિલા પ્રવાસીઓને કૅશબૅકની ઑફર આપી હતી.

મહારાષ્ટ્રમાં લુપ્ત પ્રજાતિનાં પ્રાણીઓનાં થતાં ગેરકાયદે વેચાણ સામે બૉમ્બે હાઈ કોર્ટે ઍનિમલ વેલ્ફેર બોર્ડને આપ્યો આ આદેશ; જાણો વિગત

હવે IRCTC તેજસ એક્સપ્રેસના પ્રવાસીઓ માટે સરપ્રાઈઝ લઈ આવી છે. એમાં 27 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર, 2021 સુધી પ્રવાસીઓને લકી ડ્રૉના માધ્યમથી સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે. ટ્રેનમાં પોતાની યાત્રા દરમિયાન એક્ઝિક્યુટિવ ઍસી ચૅરકાર અને ઍસી ચૅરકારના પ્રવાસીઓને ગિફ્ટ મળશે. આ લકી ડ્રૉમાં જેનો PNR નંબર આવશે તેને સરપ્રાઇઝ ગિફ્ટ મળશે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version