Site icon

સ્વાસ્થ્ય જાણકારી: ઔષધીય ગુણો થી ભરપૂર છે બોર ના પાંદડા; જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર 

શિયાળાની ઋતુમાં અનેક રોગો આપણને ઘેરી લે છે. એટલા માટે આપણે ઠંડીની ઋતુમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે આપણને આ બીમારીઓથી બચવામાં મદદ કરશે. આમાંથી એક બોર  છે. બોર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એ તો બધા જાણે છે, પરંતુ શું તમે બોરના પાંદડાના ફાયદા જાણો છો.બોર ના પાનમાં ઔષધીય ગુણ હોય છે, જેના કારણે શરીરની અનેક સમસ્યાઓ અને રોગો દૂર થાય છે. બોર ના પાનનો રસ પણ વજન ઘટાડે છે. ગળામાં ખરાશ, પેશાબ કરતી વખતે બળતરા, શરીર દાઝવું વગેરે સમસ્યાઓથી રાહત અપાવવામાં બોર ના પાનનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ બોર ના પાંદડાના ફાયદા-

1. વજન ઘટાડવામાં મદદરૂપ-

બોર ના પાંદડા ઝડપથી વજન ઘટાડે છે. વજન ઘટાડવા માટે, તમારે બોરના પાંદડામાંથી પાણી પીવું જોઈએ. બોરના પાનને આખી રાત પાણીમાં પલાળી રાખો, જો તમે આ પાણી સવારે ખાલી પેટ પીશો તો તમને ફાયદો થશે. તમારે એક મહિના સુધી આ પાણીનું સેવન કરવું જોઈએ, બે અઠવાડિયામાં તમને ફરક દેખાવા લાગશે.

2. દુખાવાની સમસ્યા દૂર કરે છે-

બોર ના પાનનો રસ પીવાથી દુખાવો મટે છે. બોરના પાનનો રસ કાઢીને હુંફાળા પાણીમાં ભેળવીને તેમાં કાળા મરી નાખીને સવાર-સાંજ સેવન કરવાથી ગળામાં આરામ મળે છે.

3. પેશાબમાં બળતરા થતી હોય તો બોર ના પાનનો ઉપયોગ કરો.

જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય, તો તમારે બોર ના પાનનો ઉપયોગ કરવો જોઈએ, તે પેશાબ કરતી વખતે બળતરાથી રાહત આપે છે. બોર ના પાનનો રસ કાઢ્યા બાદ તેમાં શેકેલું જીરું મિક્સ કરો અને તે પાણીને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો. તેનાથી તમને રાહત મળશે.

4. ઘા અથવા ઇજાઓ મટાડે છે-

જો તમને કોઈ ઘા કે ઈજા થઈ હોય તો બોર ના પાનને પીસીને તેની પેસ્ટ જ્યાં વાગ્યું  હોય ત્યાં લગાવો. બળતરાની સમસ્યા પણ દૂર થાય છે.

5. બોર ના પાન આંખમાં ખીલ મટાડે છે-

જ્યારે આંખમાં પિમ્પલ હોય ત્યારે આંખમાં તીવ્ર બળતરા, દુખાવો અથવા સોજાની ફરિયાદ રહે છે. આ માટે તમે આંખના બહારના ભાગ પર બોર ના પાનનો રસ લગાવો, તેનાથી દુખાવો ઓછો થાય છે. ડોકટરો બોર ના પાંદડાનો રસ સીધો આંખની અંદર નાખવાની ભલામણ કરતા નથી, તેથી તમારે કોટન બોલની મદદથી રસ લગાવવો જોઈએ. થોડા સમય પછી તમને તેમાં રાહત જોવા મળશે.

સ્વાસ્થ્ય જાણકારી:શિયાળામાં વજન ઘટાડવા થી લઈ ને હૃદયની બીમારી સુધી, લીલા ચણા ના છે જબરદસ્ત ફાયદા ; જાણો વિગત

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version