Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : લાલબાગ ચા રાજા ગણેશોત્સવ આ વર્ષે નહીં થાય. કોવિડ – 19 નું પરિણામ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

1 જુલાઈ 2020

લાલબાગ ચા રાજાના ઇતિહાસમાં પ્રથમ વખત, કોવિડ -19 રોગચાળાને કારણે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં નહીં આવે. મુંબઇના લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના વાયરસ રોગચાળાને પગલે આ વખતે ગણેશોત્સવ ન યોજવાનો નિર્ણય કર્યો છે અને તેના બદલે રક્તદાન શિબિરનું આયોજન કરાશે, એમ મંડળના અધિકારીઓએ જણાવ્યું હતું. તેઓ 11 દિવસની ઉજવણી સામાજિક કાર્ય કરીને કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું. “એક જ જગ્યાએ રક્તદાન શિબિર, પ્લાઝ્મા દાન શિબિર સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત, તેઓ શહીદ જવાનોના પરિવારોનું સન્માન કરશે જેમણે એલઓસી (કાશ્મીર) અને એલએસી (ચીન) બોર્ડર પર પોતાનું બલિદાન આપ્યું છે. નોંધનીય છે કે દર વર્ષે મુંબઇમાં ગણેશોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે, જેમાં ભગવાન ગણેશ પાસે આશીર્વાદ લેવા લાખો ભક્તો પંડાળની મુલાકાત લે છે.

ગણેશોત્સવ જેને ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે, તે એક તહેવાર છે જે હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદના ચોથા દિવસે શરૂ થાય છે, જે આ વર્ષે 22 ઓગસ્ટથી શરૂ થનાર છે. જો કે, કોવિડ -19 ની સૌથી માઠી અસર મહારાષ્ટ્ર અને મુંબઈ માં થયી હોવાથી ગણેશ સ્થાપના કરી ઉજવણી ના કરવાનું મંડળે નક્કી કર્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ મુજબ મંગળવારે રાજ્યમા 1,74,761 કોરોનાવાયરસ કેસ નોંધાયા છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Exit mobile version