કોરોનાને કારણે લગાવવામાં આવેલા મીની લૉકડાઉન અને નાઇટ કરર્ફ્યુને લઇને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ નારાજગી વ્યક્ત કરી છે.
અનમોલ અંબાણીએ સવાલ પૂછ્યો કે જ્યારે નેતા લાખોની ભીડ સાથે રેલી કરી શકે છે તો વેપાર કેમ નથી કરી શકાતો??
મોડી રાત સુધી ફિલ્મોની શૂટિંગ અને ક્રિકેટ મેચ રમાઇ શકે છે તો વેપાર કેમ નહી?
ઉલ્લેખનીય છે કે અનમોલ અંબાણી અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG)ની કંપનીઓ રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ કેપિટલમાં ડિરેક્ટર છે.
