Site icon News Continuous Bureau | Mumbai

સસ્તન પ્રાણીઓ ગુદાદ્વાર દ્વારા શ્વાસ લઈ શકે છે, મનુષ્યમાં પણ હોઈ શકે છે આવી ક્ષમતા; સંશોધનકારોએ કર્યો આ ચોંકાવનારો દાવો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોરોનાના કાળ વચ્ચે જાપાનના વૈજ્ઞાનિકોએ એક અલગ પ્રકારની શોધ કરી છે. સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે કટોકટીના સમયમાં સસ્તન પ્રાણીઓ ગુદાદ્વાર દ્વારા પણ શ્વાસ લઈ શકે છે, ગુદા દ્વારા શ્વાસ લેવાથી પણ તેઓને ઑક્સિજન મળે છે. વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થયા કે કેટલાક સમુદ્ર જીવો કટોકટીમાં તેમના આંતરડામાંથી શ્વાસ લે છે. એથી તેમને પ્રશ્ન જાગ્યો કે શું સસ્તન પ્રાણીઓ ફક્ત નાક દ્વારા શ્વાસ લઈ શકે છે?

ઉપરોક્ત સવાલનો જવાબ શોધવા માટે ટોક્યો મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ જવાબ શોધવા માટે ઉંદરો અને પિગ સાથે પ્રયોગો શરૂ કર્યા. હવે આ સંશોધનકર્તાઓનો દાવો છે કે આ પ્રકિયા માણસ પર પણ લાગુ થઈ શકે છે. સંશોધનકારો કહે છે કે આનાથી એવી વ્યક્તિનું જીવન બચી શકે છે જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને વેન્ટિલેટર મળી શકે નહિ. સસ્તન પ્રાણીઓમાં શ્વસનતંત્રનો વિકાસ થાય છે. ફેફસાંની મદદથી શરીરમાં શ્વાસ લેવાનું કામ થાય છે. સંશોધનકારો કહે છે કે લોચ ફિશ, કેટફિશ અને સી કુકુમ્બર પાસે વૈકલ્પિક શ્વાસની પ્રણાલી છે. આ ગોઠવણ તેમને આંતરડામાંથી શ્વાસ લેવાની મંજૂરી આપે છે.

મુખ્ય સંશોધનકર્તા રિયો ઓકાબેએ જાપાનના મીડિયાને કહ્યું હતું કે ‘’આપણા ગુદામાં ઘણી રક્ત વાહિનીઓ છે. આનો અર્થ એ છે કે જો આ માર્ગે દવા આપવામાં આવે તો એ ઝડપથી લોહીમાં ભળી શકે છે.ઓકાબેએ કહ્યું કે તે આ બાબત પર ધ્યાન આપી રહ્યા છે કે ગુદાદ્વાર દ્વારા જો ઑક્સિજન આપવામાં આવે તો એ લોહીમાં ઑક્સિજન ભળશે કે નહીં. એ અંગે અમારી ઉત્સુકતા વધી છે. એથી તેમણે અને વૈજ્ઞાનિકોએ ઉંદરો અને પિગમાં ઑક્સિજનનો સ્તર ઘટાડ્યો. ત્યાર બાદ તેણે તેમને ગુદામાર્ગ દ્વારા પ્રવાહી તેમ જ વાયુયુક્ત ઑક્સિજન આપ્યું. પ્રયોગ સફળ રહ્યો અને ઝડપથી તેમના શરીરમાં ઑક્સિજન પહોંચ્યું હતું.

Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
Exit mobile version