Site icon

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું નિધન, સાત સમુદ્ર પાર ન્યુ જર્સીમાં લીધા અંતિમ શ્વાસ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓગસ્ટ 2020 

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું (90) આજે નિધન થયું છે. તેઓ પાછલાં લાંબા સમયથી યુ.એસ.ના ન્યુ જર્સીમાં પરીવાર સાથે રહેતાં હતાં. ત્યાં જ  તેમણે અંતિમ શ્વાસ લીધાં છે. પંડિત જસરાજ શાસ્ત્રીય સંગીતના 'મેવાતી' ઘરાના ના હતા. દેશના જાણીતા શાસ્ત્રીય ગાયક પિતા પંડિત મોતીરામેં સંગીતનું પ્રારંભિક શિક્ષણ પંડિત જસરાજને આપ્યું હતું. ત્યાર બાદમાં તેમના મોટા ભાઈએ તેમને તબલા વાદક તરીકે તાલીમ આપી હતી. 

પંડિત જસરાજે 14 વર્ષની કુમાર અવસ્થામાં ગાયક તરીકેની તાલીમ શરૂ કરી. 22 વર્ષની ઉંમરે, તેમણે ગાયક તરીકે પ્રથમ જાહેર જલસો કર્યો હતો. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ તેમને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

હરિયાણાના હિસારના વતની પંડિત જસરાજે મધુર શાંતારામ સાથે લગ્ન કર્યા હતાં, જે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક વી શાંતારામના પુત્રી હતાં. તેમને એક પુત્ર સારંગ દેવ અને પુત્રી દુર્ગા જસરાજ છે. તે ઓ પણ સંગીત ક્ષેત્રે કાર્યરત છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version