Site icon

વધુ એક સંકટ-સામે આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ-હવે રાત્રે આ રીતે વાયરસ આપી રહ્યો છે ત્રાસ

Fourth Covid wave unlikely, expect peak in 20 days, say experts

કોવિડ -19: ચોથી લહેર નહીં આવે? આ તારીખથી કોરોનાના કેસ ઘટશે! વધતા કેસ વચ્ચે નિષ્ણાતનો ચોંકાવનારો દાવો

News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસએ(Corona virus) લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી છે. છેલ્લા અઢી વર્ષમાં વિશ્વએ પ્રગતિને બદલે, પ્રથમ વખત પોતાને પાછળ જતા જોયા. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો(Scientists and experts) આ વાયરસ સામે લડવા માટે સખત મહેનત કરી રહ્યા છે. થોડા જ સમયમાં વેક્સીન(Vaccine) બનાવીને લોકોને વાયરસથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ હજુ સુધી આ વાયરસ લોકોનો પીછો નથી છોડતો. 

Join Our WhatsApp Community

કોરોના સમયાંતરે તેનું સ્વરૂપ બદલીને વિશ્વ પર હુમલો કરી રહ્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કોરોનાનું નવું વેરિઅન્ટ(New Variant) આવ્યું છે.  BA.5 નામનું વેરિઅન્ટ અગાઉના કરતા થોડું અલગ છે. જ્યાં પહેલા લક્ષણો સિઝનલ ફ્લૂ(Seasonal flu) જેવા હતા, આ વખતે એક લક્ષણ દેખાય છે જે માત્ર રાત્રે જ આવે છે. જ્યારે હવે લોકોના મનમાંથી કોરોનાનો ડર ખતમ થઈ રહ્યો છે, ત્યારે તમામ નિષ્ણાતો આ નવા વેરિઅન્ટ પાછળની તપાસમાં લાગેલા છે. ચાલો તમને જણાવીએ કે આ નવા વેરિઅન્ટની ખાસિયત શું છે? BA.૫ એ કોરોનાના અગાઉના પ્રકારો કરતાં વધુ ફેલાવવા યોગ્ય હોવાનું બહાર આવ્યું છે. પરંતુ તે પહેલાની જેમ જીવલેણ નથી. એક નવા અભ્યાસમાં આવા લક્ષણો સામે આવ્યા છે, જે ખૂબ જ વિચિત્ર છે.

આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપા મોરિયા- ડાયમંડ સિટી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશ મૂર્તિની થઇ સ્થાપના- કિંમત જાણીને આંખો ચાર થઈ જશે- જુઓ ફોટોગ્રાફ્સ.. 

ટ્રિનિટી કોલેજ ડબલિનના(Trinity College Dublin) પ્રોફેસર લ્યુક ઓ'નીલના(Luke O'Neill) જણાવ્યા અનુસાર, મ્છ.૫માં રાત્રે સૂતી વખતે લોકોને પરસેવો થાય છે. હા, રાત્રે પરસેવો એ તેનું નવું લક્ષણ છે. અગાઉના કોઈપણ પ્રકારમાં આ જાેવા મળ્યું ન હતું. નિષ્ણાતોના મતે સમયની સાથે આ વાયરસના લક્ષણોમાં(virus symptoms) બદલાવ આવ્યો છે. આ એટલા માટે છે કારણ કે વાયરસ પોતે બદલાઈ ગયો છે. રાત્રીના પરસેવાના નવા લક્ષણનો હજુ સત્તાવાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. 

મહત્વનું છે કે શરૂઆત સુધી આ વાયરસથી પીડિત લોકોની સંખ્યા માત્ર યુકેમાં જ ૨ લાખ પાંચ હજારને વટાવી ગઈ છે. કોવિડ સ્ટડી ગ્રુપ(Covid Study Group) અનુસાર, બાકીના પ્રકારોની તુલનામાં, આ વાયરસ પહેલા કરતા ૨૦ થી ૫૦ ટકા ઓછો ફેલાઈ રહ્યો છે. તેમજ લોકો આના કરતા વહેલા સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે, આ વાયરસમાંથી સાજા થવામાં હજુ ચાર અઠવાડિયાનો સમય લાગી રહ્યો છે.

Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Exit mobile version