Site icon News Continuous Bureau | Mumbai

સૂર્યપ્રકાશ અને કોરોનાની અસર સંદર્ભે રિસર્ચમાં થયો એક નવો ખુલાસો, વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાએ જયારે આખા વિશ્વને પોતાની ચપેટમાં લીધું છે, ત્યારે બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ હાથ ધરી હતી. હવે આ રિસર્ચ પરથી એક નવો ખુલાસો થયો છે. જે વિસ્તારોમાં સૂર્યનો સીધો તડકો પડે છે અન ખાસ જ્યાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પડે છે, તે તમામ વિસ્તારોમાં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા ઓછી જોવા મળી હતી.

એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જાન્યુઆરી-૨૦૨૦થી એપ્રિલ-૨૦૨૦ દરમિયાન નોંધાયેલા કોરોના કેસના ડેટાને ધ્યાનમાં લીધો હતો. અમેરિકા ખંડના ૨૪૭૪ વિસ્તારોમાં આ રિસર્ચ કરવામાં આવી હતી. જે વિસ્તારોમાં સૂર્યના સીધા કિરણો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પડતા હતા ત્યાં મૃત્યુદર ખૂબ નીચો નોંધાયો હતો. આવા વિસ્તારોમાં કોરોનાથી મૃત્યનો ખતરો ૯૫% સુધી ઘટી જાય છે. આ જ તર્કને આધારે ઈટાલી, બ્રિટન અને સ્પેન જેવા દેશો પર પણ આ અભ્યાસ કરાયો હતો અને સરખું જ તારણ મળ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે આવો દાવો કરતો આ સૌપ્રથમ અહેવાલ આવ્યો છે. અગાઉ આ જ યુનિવર્સિટીના સંશોધકોએ સુર્ય પ્રકાશને બ્લડપ્રેશર અને હાર્ટએટેક સાથે સંબંધ હોવાનું સાબિત કર્યું હતું. જે વિસ્તારોમાં સૂર્યપ્રકાશ વધુ મળતો હોય તેવા વિસ્તારોમાં રહેતાં લોકોને હાર્ટએટેક અને બ્લડપ્રેશરનો ખતરો પ્રમાણમાં ઓછો હોય છે એ સાબિત કર્યું હતું.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version