Site icon

ભારત સરકારની ચેતવણી : આગામી બે-ત્રણ મહિના અતિમહત્વના, કોરોનાને લઈને રાખવી પડશે ખાસ તકેદારી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓક્ટોબર 2020

આગામી દિવસોમાં શિયાળા અને વધતા જતા પ્રદુષણના કારણે કોરોના વધુ કહેર મચાવશે તેવો ભય વ્યક્ત થઈ રહ્યો છે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને પણ આ વાતને સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ હતું કે દેશમાં કોરોનાની ત્રણ રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. જો બધુ સમુ સુતરુ પાર ઉતર્યુ તો સ્વદેશી કોરોના વેક્સિનનું ઉત્પાદન બહુ જલદી શરુ થઈ જશે. આગળ તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં જે ત્રણ રસી પર કામ ચાલી રહ્યુ છે, તેમાંથી એક રસીની ત્રીજા સ્ટેજની અને અન્ય બે રસીની બીજા સ્ટેજની ટ્રાયલ ચાલી રહી છે. કોરોના સામેની લડાઈમાં આગલા બે થી અઢી મહિના ભારે મહત્વના પૂરાવાર થવાના છે, ત્યારે દરેક નાગરિક સચેત રહે અને સરકારના નિર્દેશોનું પાલન કરે તે જરુરી છે. 

આરોગ્ય પ્રધાને વધુમાં કહ્યુ હતુ કે, કોરોનાએ આખી દુનિયાને પ્રભાવિત કરી છે, પણ જો સાવધાની રાખવામાં આવે અને ખાસ કરીને માસ્ક પહેરીએ અને સ્વચ્છતાના નિયમોનુ પાલન કરીએ તો કોરોનાને કાબુમાં લાવી શકાય છે. આ માટે સામાજિક દુરી જાળવવી ખુબ જ જરૂરી છે. દુનિયામાં ભારત એવો દેશ છે જ્યાં કોરોનાથી થતા મોતનો આંકડો બહુ ઓછો છે. આશા છે કે, 6 મહિનાની અંદર કોરોનાની રસી મુકવાનુ કામ ભારતમાં શરુ થઈ જશે…

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version