Site icon News Continuous Bureau | Mumbai

RO નું પાણી પીવાવાળા સાવધાન!! સરકાર વોટર પ્યુરીફાયરના વપરાશ પર રોક લગાવી શકે છે.. જાણો કેમ.

 ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 જુલાઈ 2020

 શું તમે RO પ્યુરીફાયર કરેલું પાણી જ રોજ પીવો છો! તો હવે સાવધાન થઈ જજો. આજે દરેક ઘરના રસોડામાં RO પ્યુરીફાયર લગાવેલું જોવા મળે છે. પરંતુ, એવી પ્રબળ સંભાવના છે કે આ વર્ષના અંત સુધીમાં આરઓના પાણીના વપરાશ પર સરકાર પ્રતિબધ લાવી શકે છે. જે RO પ્યુરીફાયર માં લિટરદીઠ ટોટલ TDS 500 મીલી ગ્રામથી ઓછું રહેતું હોય તેવા RO પર પ્રતિબંધ મૂકવાની તાકીદ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી ) એ કેન્દ્રના પર્યાવરણ અને વન વિભાગને કરી છે. એનજીટી એ કેન્દ્રના પર્યાવરણ અને વન વિભાગને ડિસેમ્બર સુધીમાં દેશભરના પોતાના વિભાગોમાંથી આરઓ હટાવી લેવા તેમજ, તેના પાણીના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. 

બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંશોધન મુજબ પ્રતિ લીટર પાણીમાં 300 મિલી ગ્રામથી ઓછું ટીડીએસ હોય તો સારું અને 500 મિલીગ્રામ થી વધારે ટીડીએસ હોય તો સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહ્યું છે. WHO નું પણ કહેવું છે કે આરઓ ટેકનોલોજી ઉપયોગી થવા કરતાં નુકસાન વધારે કરી રહ્યું છે. કારણ કે આ મશીન પાણીમાંથી જરૂરી ખનીજ તત્વો બહાર ફેંકી દે છે અને આ ક્રિયા દરમ્યાન કેટલા લિટર પાણીનો વ્યય પણ થઈ રહ્યો છે. એવો જ દાવો એનજીટી નો પણ છે. પોતાના આદેશમાં એનજીટીએ કહ્યું કે આરઓ પ્યુરીફાયર હટાવવામાં જેટલો વિલંબ થશે એટલું જ નુકસાન આરોગ્ય અને પર્યાવરણને થશે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version