Site icon

સારા સમાચાર : કોરોના થયા બાદ ટૂંક સમયમાં સાજા થઈ જાય છે ફેફસાં; સંશોધનમાં સામે આવી આ હકીકત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

સામાન્ય રીતે લોકો એવું માને છે એક વાર કોરોનાને કારણે જો ફેફસાં ખરાબ થાય તોએની અસર લાંબો સમય સુધી રહે છે, પરંતુ હકીકત એનાથી વિપરીત છે. હાલમાં જ લંગ ઇન્ડિયા જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરાયો છે કે કોરોના થયા બાદ ફેફસાં ફરીથી સાજા થઈ જાય છે. મુંબઈની કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કેગંભીર કોવિડ-19 અને ન્યુમોનિયાથી પીડિત લોકોનાં ફેફસાં ત્રણથી છ મહિનાની અંદર રિકવરીના સંકેતો દર્શાવે છે.

અભ્યાસના અગ્રણી લેખક અને પલ્મોનોલૉજિસ્ટ ડૉ. સુમિત સિંઘાનિયા અનુસાર સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફેફસાંનું કાર્ય સતત વધુ સારું થતું રહે છે. લોકોમાં એવો ડર હતો કે એકવાર કોરોના થયા બાદ ફેફસાંમાં ફાઇબ્રોસિસ થવાની સંભાવના છે. હવે લોકોનો આ ભય સદંતર ખોટો હોવાનો પુરવાર થયો છે. આ અભ્યાસમાં કોરોના સંક્રમિત 300 દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોની સ્થિતિનું એક વર્ષ સુધી અવલોકન કરાયું હતું.

જેઠાલાલના કિરદાર માટે માત્ર દિલીપ જોશી જ નહીં, પરંતુ આ કલાકારોને પણ ઑફર કરવામાં આવ્યો હતો જેઠાલાલનો રોલ; જાણો તે કલાકારો વિશે

આ અભ્યાસમાં એવા દર્દીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમણે કોરોનાના ગંભીર સંક્રમણને પણ માત આપી હતી. અભ્યાસ દરમિયાન ફાઇબ્રોસિસને લીધે ઍન્ટી-ફાઇબ્રોટિક દવાઓ પણ સૂચવવામાં આવી હતી. જોકેહિન્દુજા હૉસ્પિટલના આ અભ્યાસ સાથે ન જોડાયેલા ડૉ.લેન્સલોટ પિન્ટોએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે ઘણા દર્દીઓને ઍન્ટી-બાયોટિક દવાઓ સૂચવવામાં આવી હતી, પરંતુ તે બિનજરૂરી છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version