Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં રામ મંદિર પર આતંકી હુમલાનું કાવતરું… આ આતંકી સંગઠને બનાવ્યો પ્લાન, ગુપ્તચર એજન્સીઓ થઇ એલર્ટ..

ગણતંત્ર દિવસના અવસર પર આતંકવાદીઓ ફરી એકવાર એક મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓ દિલ્હી અને પંજાબ સહિત અન્ય ઘણા શહેરો પર આતંકી હુમલા કરી શકે છે. પાકિસ્તાનની ISI, ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા જેવા સંગઠનો ભારતને આતંકિત કરવા માટે નાપાક કાવતરાં રચી રહ્યાં છે. આ માટે પાકિસ્તાનની આઈએસઆઈએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઓપરેટિવ્સની મદદ લીધી છે. સુરક્ષા એજન્સીઓએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

Pakistan-based terror outfits Lashkar-e-Taiba, Jaish-e-Mohammed planning to attack Ram Mandir in Ayodhya

અયોધ્યામાં રામ મંદિર પર આતંકી હુમલાનું કાવતરું... આ આતંકી સંગઠને બનાવ્યો પ્લાન, ગુપ્તચર એજન્સીઓ થઇ એલર્ટ..

News Continuous Bureau | Mumbai

ગણતંત્ર દિવસના અવસર પર આતંકવાદીઓ ફરી એકવાર એક મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓ દિલ્હી અને પંજાબ સહિત અન્ય ઘણા શહેરો પર આતંકી હુમલા કરી શકે છે. પાકિસ્તાનની ISI, ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા જેવા સંગઠનો ભારતને આતંકિત કરવા માટે નાપાક કાવતરાં રચી રહ્યાં છે. આ માટે પાકિસ્તાનની આઈએસઆઈએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઓપરેટિવ્સની મદદ લીધી છે. સુરક્ષા એજન્સીઓએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે કે આતંકવાદીઓ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવી શકે છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બર દ્વારા રામ મંદિર પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને આ હુમલાનું કાવતરું ઘડ્યું છે. નેપાળ મારફતે ભારત આત્મઘાતી ટુકડી મોકલીને હુમલાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રામ મંદિર નિર્માણનું 50 ટકાથી વધુ કામ થઈ ગયું છે. અહીં સુરક્ષા પહેલેથી જ ચુસ્ત છે, જ્યારે હવે આ એલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો:  UNએ હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો, ભારતને સફળતા મળી

ISIના નિશાના પર દિલ્હી અને પંજાબ!

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ વખતે 26 જાન્યુઆરીએ દિલ્હી અને પંજાબ સહિત અન્ય રાજ્યો ISIના નિશાના પર છે. તે અહીં હુમલા માટે રોહિંગ્યા અને બે બાંગ્લાદેશી સંગઠનો અંસાર ઉલ બાંગ્લા અને જમાત ઉલ મુજાહિદ્દીનનો ઉપયોગ કરી શકે છે. માત્ર 26 જાન્યુઆરીએ જ નહીં પરંતુ ભારતમાં યોજાનારી જી-20 સમિટના અવસર પર પણ સાયબર એટેકની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

G-20 સમિટમાં સાયબર હુમલાનો ભય

આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવેલી યોજના અનુસાર, જો 26 જાન્યુઆરીની તેમની યોજના સફળ નહીં થાય તો તેઓ જી-20 સમિટના અવસર પર દિલ્હીમાં મોટો સાયબર હુમલો કરી શકે છે. દેશમાં PFI પર પ્રતિબંધ મૂક્યા પછી, લો પ્રોફાઇલ વિંગ ફરીથી સક્રિય થઈ શકે છે અને સ્લીપર સેલની જેમ ગોરિલા હુમલા કરી શકે છે. આ ગોપનીય માહિતીમાં એવો પણ ખુલાસો થયો છે કે શીખ આતંકવાદી જૂથો દિલ્હી અને પંજાબમાં મોટા આતંકી હુમલાઓ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે ખાલસા અને વારિશ પંજાબ આતંકવાદીઓના નિશાના પર હોઈ શકે છે, આ માટે અહીં ખાસ નજર રાખવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો:  દેશના આ રાજ્યમાં બાળક પેદા કરવા પર મળશે ઇન્ક્રીમેન્ટ, બે બાળક તો બે ઇન્ક્રીમેન્ટ. આ ઉપરાંત અનેક સરકારી સહાય. જાણો વિગત.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version