Site icon

અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવશે મૂળ મહારાષ્ટ્રના આ મહાન શિલ્પકાર, જાણો તેમના વિશે   

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરેક ભક્ત ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું કામ પૂર્ણ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય 1 જાન્યુઆરી, 2024 ના રોજ પૂર્ણ થશે. ખાસ વાત એ છે કે મંદિરમાં ભગવાન રામની જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે તે શાલિગ્રામ શિલાની હશે. 

Ram V Sutar Indian Sculptor Will Make Ramlala Idol In Ayodhya Ram Mandir

અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવશે મૂળ મહારાષ્ટ્રના આ મહાન શિલ્પકાર, જાણો તેમના વિશે

News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરેક ભક્ત ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું કામ પૂર્ણ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય 1 જાન્યુઆરી, 2024 ના રોજ પૂર્ણ થશે. ખાસ વાત એ છે કે મંદિરમાં ભગવાન રામની જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે તે શાલિગ્રામ શિલાની હશે. 

Join Our WhatsApp Community

મહત્વનું છે કે ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવા માટે નેપાળથી શાલિગ્રામની બે મોટી શિલાઓ લાવવામાં આવી છે.  માહિતી અનુસાર, તમામ પથ્થરોની તપાસ કર્યા બાદ તેમાંથી એક પથ્થરનો ઉપયોગ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે કરવામાં આવશે જે ગર્ભગૃહની ઉપર પહેલા માળે બનાવવામાં આવી રહી છે. સાથે જ આ પથ્થરોમાંથી લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ બનાવવામાં આવનાર છે.

આ પથ્થરોમાંથી રામ અને સીતામાતાની મૂર્તિઓ બનાવવાની જવાબદારી શિલ્પકાર રામ વનજી સુથારને આપવામાં આવી છે. રામ સુથારે અગાઉ શિવાજી મહારાજ, ભગવાન શંકર અને સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઓ બનાવી છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે આ શાલિગ્રામ શિલાનું મહત્વ શા માટે છે અને રામ મંદિરની મુખ્ય મૂર્તિઓ બનાવનાર રામ વનજી સુથાર કોણ છે?

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આ મૂર્તિના નિર્માતા બીજું કોઈ નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ શિલ્પકાર રામ વનજી સુથાર છે. તેમની ઉંમર લગભગ 98 વર્ષની છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ગોંડુર ગામમાં થયો હતો. તેમણે કલા ક્ષેત્રે આગળ વધવા માટે શ્રીરાકૃષ્ણ જોશી પાસેથી પ્રેરણા લીધી. રામ વનજી સુતારે તત્કાલીન બોમ્બે (હવે મુંબઈ)ની જેજે સ્કૂલ ઓફ આર્ટમાં એડમિશન લીધું હતું. આ પછી, વર્ષ 1959 માં, તેઓ દિલ્હી આવ્યા અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કામ કરવાનું શરૂ કર્યું.

આ સમાચાર પણ વાંચો : 2023ની શરૂઆતથી જ કારના વેચાણમાં વૃદ્ધિ, મારુતિ સુઝુકીનું વેચાણ 12% વધી 1,72,535 યુનિટ્સ થયું

1990 થી નોઈડામાં સ્થાયી થયા. 2006 માં, તેમણે સાહિબાબાદમાં તેમની કાસ્ટિંગ ફેક્ટરીની સ્થાપના કરી. શરૂઆતમાં રામ વનજી સુથાર મહાત્મા ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમના શાળાના દિવસોમાં તેમણે સૌ પ્રથમ મહાત્મા ગાંધીનું હસતું ચિત્ર દોર્યું હતું, જે ખૂબ જ આકર્ષક હતું. તેમણે ભારતીય ઐતિહાસિક વારસાને પુનઃ સ્થાપિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. 1954 અને 1958 ની વચ્ચે, તેમણે અજંતા અને ઇલોરા ગુફાઓમાં ઘણી જૂની કોતરણીના પુનઃસંગ્રહ માં ફાળો આપ્યો હતો. પથ્થરના એક બ્લોકમાંથી, તેમણે મધ્ય પ્રદેશમાં ચંબલ સ્મારકને શાનદાર રીતે કોતર્યું છે. ભાખરા-નાંગલ ડેમ બનાવનાર મજૂરોના સન્માન માટે, તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સુથારને 50 ફૂટની મજૂર પ્રતિમાની રચના કરવાનું કામ સોંપ્યું હતું. આ પ્રતિમા 16 જાન્યુઆરી 1959ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી. રામ વનજી સુથારે ભારતમાં રાજકારણીઓ થી લઈને ઐતિહાસિક નાયકો સુધીની ઘણી પ્રતિમાઓ બનાવવામાં યોગદાન આપ્યું છે.

 

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version