ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ નું સંગઠન ભારતીય કિસાન સંઘ પણ જોડાઈ ગયું છે.
કિસાન સંઘે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓ અને ટેકાના ભાવ અંગે નિર્ણય નહીં લે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
કિસાન સંઘના નેતા યુગલ કિશોર મિશ્રાએ કહ્યું કે અમે મોદી સરકારને કૃષિ કાયદા અને ટેકાના ભાવ અંગે નિર્ણય લેવા માટે 31મી ઓગસ્ટ સુધીનો સમય આપીએ છીએ.
જો સરકાર અમારી માગણીઓ અંગે કોઇ સકારાત્મક નિર્ણય નહીં લે તો આઠમી સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી ધરણા કરવામાં આવશે અને તે બાદ પણ અમારી માગણીઓને આગળ ધપાવવા માટે નિર્ણય લેવામાં આવશે.
