Site icon

RSS Dharavi: ધારાવીમાં RSS કાર્યકર અરવિંદ વૈશ્યની હત્યા, અંતિમયાત્રા પર પથ્થરમારો થતાં ધારાવીમાં તંગદીલીનું વાતાવરણ.. જાણો વિગતે.

RSS Dharavi: મુંબઈના ધારાવીમાં ગઈકાલે ફરી વાતાવરણમાં તંગદીલી સર્જાઈ હતી. જ્યારે કેટલાક અસામાજિક તત્વોએ RSS કાર્યકરની અંતિમ યાત્રા દરમિયાન પથ્થરમારો કર્યો હતો. પોલીસની તત્પરતાના કારણે આ બાદ મામલો શાંત પડયો હતો.

RSS Dharavi After stone pelting on RSS worker Arvind Vaishya's funeral procession, shops were vandalized in Dharavi after the atmosphere of tension

RSS Dharavi After stone pelting on RSS worker Arvind Vaishya's funeral procession, shops were vandalized in Dharavi after the atmosphere of tension

News Continuous Bureau | Mumbai 

RSS Dharavi: રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના કાર્યકર અરવિંદ વૈશ્યની ( Arvind Vaishya ) હત્યાથી ધારાવીમાં તંગદિલી સર્જાઈ હતી. ભાજપના ધારાસભ્ય રામ કદમની આગેવાની હેઠળ ભાજપના કાર્યકરોએ સોમવારે રાત્રે ધારાવી પોલીસ સ્ટેશન સામે આ સંદર્ભે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ પછી પોલીસે ધારાવી પોલીસ સ્ટેશનમાં આરોપી નિયાઝ શેખ (અલ્લુ) અને આરીફ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ કેસમાં અરવિંદના ભાઈ શૈલેન્દ્ર કુમાર વૈશ્યે આરોપીઓને કડક સજાની માંગ કરી છે. ધારાસભ્ય રામ કદમે પણ માંગ કરી છે કે આ મામલામાં આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે. 

Join Our WhatsApp Community

અરવિંદ કુમાર વૈશ્ય ( RSS Worker ) (26) મેડિકલ શોપમાં કામ કરતો હતો. રવિવારે હોર્નના કારણે થયેલા વિવાદને ઉકેલવા તેણે દરમિયાનગીરી કરી હતી. આ સમયે આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. આ બાદ અરવિંદ આ અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાર પછી પોલીસ સ્ટેશનથી પરત ફરતા સમયે ચાર આરોપીઓએ ચાકુ વડે અરવિંદ પર હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા મૃત્યું પામ્યો હતો. આ ઘટના બાદ ધારાવી પોલીસે ( Dharavi Police ) આ મામલે તેની તપાસ હાથ ધરી હતી. 30 જુલાઈ, મંગળવારના રોજ અરવિંદના અંતિમ સંસ્કાર ( RSS Worker Funeral ) કરવામાં આવ્યા હતા, આમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં 1,000 થી 1,500 હિન્દુઓ એકઠા થયા હતા. આ અંતિમયાત્રા દરમિયાન એક ઈમારત પરથી પથ્થરમારો ( Stone pelting ) કરવામાં આવ્યો હતો. પથ્થમારા ( Stone pelting Dharavi ) બાદ ધારાવી વિસ્તારમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું અને દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ બંદોબસ્ત હેઠળ અરવિંદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા દાદર અને શિવાજી પાર્કમાંથી પોલીસ દળોને ધારાવી ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Nano Fertilizers : ખેડૂતોમાં નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા, દેશમાં છ નેનો યુરિયા પ્લાન્ટ અને ચાર નેનો ડીએપી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા.

RSS Dharavi: આ કેસમાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે….

VHP પ્રાંતીય મંત્રી મોહન સાલેકર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બધા દરમિયાન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અંધાધૂંધ લાઠીચાર્જ કર્યો હતો અને તે લાઠીચાર્જમાં બજરંગ દળના ચાર કાર્યકરો ઘાયલ થયા હતા. આ ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ અને જેહાદીઓના સમર્થક તરીકે જોવામાં આવી હોવાનું હાલ શંકા છે. તેથી મોહન સાલેકરનું કહેવું છે કે ગૃહ મંત્રાલયેને આ સામી પગલા લેવા જોઈએ એવી માંગ કરી હતી.

આ કેસમાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ બે આરોપીઓ ફરાર છે. તેમની શોધખોળ હાલ હાથ ધરાઈ છે. 

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version