મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ધરમચંદ ચોરડીયા નું નિધન થયું છે.
તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી હતા. તેમજ ધુળે જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તા હતા.
તેઓ ૧૯૭૭થી સંઘના સ્વયંસેવક હતા તેમજ ઈમરજન્સી સમયે ૧૯ મહિના જેલમાં હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ તેમના નિવાસસ્થાને જઇ ચૂક્યા છે.