Site icon News Continuous Bureau | Mumbai

મહત્વના સમાચાર-સિનિયર સિટિઝનોને રેલવેમાં મળતી આ છૂટ હવે બંધ થશે-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

સિનિયર સિટિઝનોને(senior citizens) સરકાર તરફથી અનેક રાહત આપવામાં આવતી હોય છે. જોકે હવે રેલવેમાં(railways) સિનિયર સિટઝનોને મળનારી રાહત બંધ થવાની છે, તેનાથી સિનિયર સિટિઝનોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Channel

બે વર્ષ પહેલા કોરોનાના સમયગાળા(Covid19 pandemic) દરમિયાન રેલવે પ્રશાસન(Railway Administration) દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ(Discount) બંધ કરવામાં આવ્યું હતું. સરકારનો હવે આ છૂટ ફરી શરૂ કરવાનો કોઈ ઈરાદો નથી.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- પનીર અસલી છે કે નકલી તે જાણવા માટે ઘરમાં પડેલી આ 2 વસ્તુઓ થી કરો ટેસ્ટ

સરકારના કહેવા મુજબ  મોટાભાગની શ્રેણીઓમાં રેલ ભાડા(Rail fares) પહેલાથી જ ઓછા છે. રેલવે તમામ મુસાફરો માટે 50 ટકા મુસાફરી ખર્ચ ઉઠાવી રહી છે. કોરોનાને કારણે 2020 થી 2021માં ઘણા ઓછા મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.  2019-20 દરમિયાન, સરકારની અપીલ પછી બાદ  22.62 મિલિયન વરિષ્ઠ નાગરિકો જાતે થઈને તેમને મળતી રાહત યોજનામાંથી બહાર નીકળી ગયા હતા.

સરકારે આ સાથે જ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓ માટે છૂટના નિયમો પહેલાની જેમ જ રહેશે. જો કે, વરિષ્ઠ નાગરિકો અને રમતવીરોને(athletes) ફરીથી ભાડામાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.
 

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version