News Continuous Bureau | Mumbai
હળદરવાળા દૂધ (Turmeric milk) નું સેવન સ્વાસ્થ્ય (Health) માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને ઉધરસ, તાવ, શરદી કે ઈજાના કિસ્સામાં હળદરનું દૂધ ‘રામબાણ’ માનવામાં આવે છે. શિયાળામાં (winter season) , પોતાને ગરમ રાખવા અને રોગોથી બચવા માટે દરરોજ હળદરનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેનું કારણ એ છે કે હળદરવાળા દૂધમાં કેલ્શિયમ, વિટામિન-બી અને પ્રોટીન હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા લાવે છે. જોકે એવા ઘણા લોકો છે જેમને હળદરવાળા દૂધથી નુકસાન થઇ શકે છે. આવા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો તેમને હોસ્પિટલ પહોંચવામાં વધુ સમય લાગશે નહીં.
એનિમિયા ધરાવતા લોકો
જે લોકોને એનિમિયા હોય તેમણે હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. ડોક્ટરોના મતે હળદરવાળા દૂધનું સેવન કરવાથી શરીર આયર્નને યોગ્ય રીતે શોષી શકતું નથી, જેના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર નથી વધતું. આવી સ્થિતિમાં, જો તમે લોહીની ઉણપથી પરેશાન છો, તો હળદરનું દૂધ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કિડની નિષ્ફળતાના દર્દીઓ (Kidney patient)
કિડનીની બીમારીથી પીડિત લોકો માટે પણ હળદરનું દૂધ હાનિકારક છે. વાસ્તવમાં હળદરમાં ઓક્સાલેટ હોય છે, જે કિડનીની બીમારીને વધુ ગંભીર બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે હળદરવાળું દૂધ પીઓ છો તો તમારી કિડનીની સમસ્યા વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો: ના હોય!! સ્ટીવ જોબ્સના 42 વર્ષ જૂના સેન્ડલની થઇ હરાજી, અધધ આટલા કરોડમાં વેચાયા; આંકડો જાણીને રહી જશો દંગ..
નબળી પાચનશક્તિ (Weak digestive system) ધરાવતા લોકો
જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા જેવી કે પેટમાં ગેસ, સોજો, છાતીમાં બળતરા વગેરે હોય તો તમારે હળદરવાળા દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે હળદરવાળું દૂધ પીશો તો તમારી સમસ્યા વધી શકે છે.
લો બ્લડ સુગર દર્દી (Low blood sugar)
લો બ્લડ સુગર (Low blood sugar) ધરાવતા દર્દીઓએ હળદરનું દૂધ ટાળવું જોઈએ કારણ કે તેમાં કર્ક્યુમિન હોય છે, જે બ્લડ શુગર લેવલને વધુ ઘટાડી શકે છે. આ લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ માટે સમસ્યાને વધુ તીવ્ર બનાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો: આજે તારીખ – ૧૭:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર પધ્ધતી અને અન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને તબીબી સલાહ લો.)