Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ-જાણો ચહેરા પર દૂધની મલાઈ લગાવવાના ગેરફાયદા-આ 3 પ્રકારની ત્વચા ધરાવતા લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ

 News Continuous Bureau | Mumbai

મોટાભાગના લોકો ત્વચા સંબંધિત સમસ્યાઓથી સંઘર્ષ કરે છે, જેના માટે તેઓ ત્વચાની સારવાર અને ઘરેલું ઉપચારનો આશરો લે છે. આમાંની એક વસ્તુ મલાઈ છે, જેનો ઉપયોગ સદીઓથી ત્વચા પર કરવામાં આવે છે. દૂધ ની મલાઈ,(milk cream) જેને મિલ્ક ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ત્વચાને ઘણી રીતે ફાયદો કરી શકે છે. તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. મલાઈ ત્વચાને મોઈશ્ચરાઈઝ (moisturize)કરે છે અને શુષ્કતા દૂર કરે છે, ક્ષતિગ્રસ્ત ત્વચાને રિપેર કરે છે અને જ્યારે ત્વચા પર માલિશ કરવામાં આવે ત્યારે ચમક (glowing skin)આપે છે.પરંતુ દરેક વસ્તુની દરેક જણ માટે  ફાયદાકારક નથી હોતી. એ જ રીતે, જરૂરી નથી કે મલાઈ પણ તમારી ત્વચાને સૂટ કરે. આપણી દરેકની ત્વચાનો પ્રકાર અલગ-અલગ હોય છે, તેની કાળજી લેવાની રીત પણ ઋતુઓ અને ઉંમર સાથે બદલાય છે. તો ચાલો જાણીએ કે દૂધની મલાઈથી કયા લોકોની ત્વચાને નુકસાન થઈ શકે છે.

Join Our WhatsApp Channel

1. તૈલી ત્વચા ધરાવતા લોકો માટે

જે લોકોની તૈલી ત્વચા(oily skin) હોય છે તેમની ત્વચા પર સીબુમનું ઉત્પાદન વધુ હોય છે. તેથી જ આ પ્રકારની ત્વચા ધરાવતા લોકોની ત્વચા પર તૈલી ત્વચા દેખાય છે. મલાઈ ચીકણી (milk cream)હોય છે, જે તૈલી ત્વચાને વધુ તૈલી બનાવશે. આ સિવાય મલાઈ  તમારા પોર્સને પણ બ્લોક કરી શકે છે. જેના કારણે બેક્ટેરિયા તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે.

2. ખીલ વાળી ત્વચા ધરાવતા લોકો માટે

જો તમારી ત્વચા ખીલની સંભાવના ધરાવે છે અથવા તમારી ત્વચા પર સક્રિય ખીલ(pimples) છે, તો તમારે મલાઈ નો  ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે મલાઈ તમારા ખીલની સમસ્યાને વધારી શકે છે. જો પિમ્પલ્સ સરળતાથી થઈ જાય તો પણ ચહેરા પર મલાઈ ન લગાવો.

3. સંવેદનશીલ ત્વચા

સંવેદનશીલ ત્વચાનો અર્થ એ છે કે જેઓ એલર્જી (allergy)જલ્દી થઇ જતી હોય છે.. આવા લોકોને સામાન્ય વસ્તુઓથી પણ એલર્જી થઈ જાય છે. તેથી, ત્વચા પર મલાઈ લગાવતા પહેલા પેચ ટેસ્ટ(patch test) કરો. નહિંતર, મલાઈ થી  તમારા ચહેરા પર ફોલ્લીઓ, ખંજવાળ, બર્નિંગ અને લાલ શિળસ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : તબીબી જગતમાં ચમત્કાર સર્જાયો-એક સાથે 18 દર્દીઓ કેન્સર મુક્ત થયા-શું કેન્સરનો ઈલાજ મળી ગયો

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version