Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના વેરાન રણમાંથી સાત ઘુડખર પ્રાણીઓનાં હાડપિંજર મળ્યાં; ૮૦ વર્ષ બાદ ફરી આ કાળમુખો પ્રાણીરોગ ફેલાવાનો ખતરો વધ્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

તાજેતરમાં કચ્છના નાના રણમાંથી સાત ઘુડખર પ્રાણીઓનાં હાડપિંજર મળી આવ્યાં છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અચાનક મળેલાં કુલ સાત ઘુડખરનાં હાડપિંજરથી વન વિભાગના અધિકારીઓ હચમચી ગયા છે. આ ઘુડખર પંદરેક દિવસ અગાઉ મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક દ્દૃષ્ટિએ જોવા મળતાં એમનું પોસ્ટમૉર્ટમ કરાવવું પણ શક્ય નથી.

ઘુડખર ભારતમાં ઝડપી દોડનારાં પ્રાણીઓમાંનું એક છે.રણના ધબકાર તરીકે ઓળખાતાં જંગલી ઘુડખરના રક્ષણ માટે વન્યપ્રાણી ધારા હેઠળ 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારને અભયારણ્ય વિસ્તાર તરીકે સંરક્ષિત કરવામાં આવ્યો હતો. ૧૯૬૦ દરમિયાન માખીઓ દ્વારા ફેલાયેલા સુર્રા નામના રોગચાળાને કારણે ઘુડખરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.

ભાગેડું વિજય માલ્યાની મુશ્કેલીમાં થયો વધારો, અદાલતે 6900 કરોડની લોનની રિકવરી માટે જપ્ત સંપત્તિ નીલામ કરવાનો આપ્યો આદેશ

ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૬માં ઘુડખરની વસ્તી ૩,૫૦૦ હતી અને રોગચાળા દરમિયાન એ ઘટી અને ૧૯૬૩માં 362 થઈ ગઈ હતી. 2020ના આંકડા મુજબ આ સંખ્યા 6082ની છે અને અચાનક ઉપરોક્ત ઘટના સામે આવતાં વન વિભાગના અધિકારીઓ સાવચેત થઈ ગયા છે.

Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Exit mobile version