Site icon

અરે વાહ, મોબાઈલ પર હવે કોઈ અજાણ્યો નંબર નહીં પણ ફોન કરનારનું નામ સીધું જ દેખાશે! કેન્દ્ર સરકાર બનાવી રહી છે આ મોટી યોજના.. 

 News Continuous Bureau | Mumbai

આજે મોબાઈલ (Mobile) એ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. મોબાઇલની મદદથી આપણે ઘણી બધી વસ્તુઓ ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. દરમિયાન મોબાઇલ ફોન પર ઓનલાઇન વ્યવહારો(online Transaction) , બેંકિંગ સંબંધિત કાર્યોમાં વધારો થયો છે, તો સાથે છેતરપિંડી (Fraud) ના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ઘણા લોકો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરીને લૂંટવાનો કે હેરાન કરવાનો પ્રયાસ કરે છે. લોકો સાથે અવાર નવાર સ્પેમ કોલ (Spam call)  દ્વારા ફ્રોડ થતા હોય છે. તેમાં પણ મોટાભાગના ફ્રોડ વરિષ્ઠ નાગરિકો સાથે થાય છે. કેન્દ્ર સરકાર હવે આવી ગેરરીતિઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: હળદરવાળું દૂધ પીતા હોવ તો ખાસ વાંચો! આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ, થઇ શકે છે નુકસાન

કેન્દ્ર સરકાર (Central govt) ના ટેલિકોમ્યુનિકેશન વિભાગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લઈને નાગરિકોને રાહત આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (Department of Telecommunication) દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય અનુસાર ફોન પર અજાણ્યા નંબરને બદલે કોલ કરનારનું નામ જ સીધું દેખાશે. સિમ કાર્ડ (Sim Card) ખરીદતી વખતે, જે વ્યક્તિનું નામ ફોર્મ પર આવશે તેનું નામ મોબાઇલ સ્ક્રીન પર દેખાશે. આ અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 

ખાસ વાત એ છે કે દૂરસંચાર વિભાગ (Department of Telecommunication) ના આ નવા નિર્ણયને કારણે નાગરિકોને કોઈપણ એપ વિના આ સુવિધા મળશે. આ નિર્ણયથી ફોન કરનારનું નામ સીધું મોબાઈલ પર દેખાશે અને નાગરિકો સાથે છેતરપિંડી નહીં થાય. તેમ જ આવું થવાથી અજાણ્યા નંબર પરથી ફોન કરનારનું નામ હવે પોલીસને સરળતાથી મળી જશે.

આ સમાચાર પણ વાંચો: એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં

 

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version