Site icon News Continuous Bureau | Mumbai

મિઠાઈ ખાવાથી કોરોના ઠીક થાય છે તેવી વાત ફેલાવનારને સરકારે આપી આ સજા.. વાંચો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

9 જુલાઈ 2020

પોતાનો માલ વેચવા માટે લોકો જાતજાતના તર્ક-વિતર્ક ઊભા કરતા હોય છે. એક મીઠાઈ વાળાએ એને ત્યાંની મીઠાઈ ખાવાથી કોરોના સારો થઈ જાય છે એવું ગપ્પુ ચલાવ્યું હતું. જે તેને ભારે પડ્યું છે. ખોટી અફવા ફેલાવવા બદલ પ્રશાસને તેનું લાયસન્સ જપ્ત કરી લીધું છે. 

 એ વાત જાણીતી છે કે કાંઇ પણ નવું બજારમાં આવે તો, એના નામની મીઠાઇ અને વાનગીઓ બજારમાં મળતી થઈ જાય છે. તમિલનાડુ કોઇમ્બતુર માં આવેલા એક મીઠાઈ વાળા એ આવી જ એક તક ઝડપવાનો પ્રયાસ કરતાં તેણે દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે. આ મીઠાઈ વાળા એ દાવો કર્યો હતો કે 'એને ત્યાંનો મૈસૂર પાક ખાવાથી કોરોના સારો થઈ જાય છે. તેમજ તેણે પોતાની મીઠાઈમાં આયુર્વેદિક દવાઓ ભેળવી હોવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને જેને કોરોના ન થયો હોય કે બીજો કોઈ  રોગ ન હોય તે પણ જો એની મીઠાઈ ખાશે તો ભવિષ્યમાં બીમાર નહીં પડે' એવી વાત વહેતી કરી હતી. 

આ દુકાનદાર 50 રૂપિયામાં 50 ગ્રામ મૈસૂર પાક વેંચતો હતો. એટલે કહી શકાય કે 300-350 રૂપિયે કિલો મળતી મીઠાઈના તે 1000 રૂપિયા વસૂલી ઉઘાડી લૂંટ ચલાવતો હતો. જ્યારે આ વાત કોઈમ્બત્તુર પ્રશાસનના કાન સુધી પહોંચી ત્યારે ખાદ્ય વિભાગના અધિકારીઓએ આ મીઠાઈવાળાને ત્યાં રેડ પાડી 120 કિલો મીઠાઈ જપ્ત કરી હતી અને દુકાનનું લાયસન્સ પણ રદ કરી દીધું હતું….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version